SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જ ચારિત્રાચારના અતિચારનો કાઉ૦ (નાણંમિનો કાઉ૦) મુક્યો છે તો સવારના પ્રતિક્રમણમાં છેલ્લે કેમ મૂક્યો ? જવાબ : શરૂઆતમાં નિદ્રાથી લથડતો હોવાથી સારી રીતે અતિચાર ન વિચારી શકાય માટે નાણંમિનો કાઉ0 છેલ્લે મૂક્યો છે. નોંધ : મુનિને “સયણાસણન્નપાણે'ની ગાથા ગણવી. તે પછી “સિદ્ધાણં બુદ્ધાણં' કહી મુહપત્તિ પડિલેહવી, પછી વાંદણા દેવા. અહીંથી આયરિય ઉવન્ઝાએ, કરેમિભંતે, ઈચ્છામિચ્છામિ, તસ્સ ઉત્તરી ઇત્યાદિ પ્રશ્ન૧૩થી ૨૩ સુધી બધી વિધિ, હેતુ વિગરે સાંજના પ્રતિક્રમણની જેમ સમજવું. • તે પછી તપચિંતવણીનો કાઉ૦ કરવો. પ્રશ્ન-૬ : પૂર્વે ચારિત્ર-દર્શન અને જ્ઞાનની અતિચારની વિશુદ્ધિનો કાઉ૦ કર્યો હોવા છતાં અહીં ફરી તપ ચિતવણીનો કાઉo કયા હેતુથી કરાય છે? જવાબઃ પૂર્વે શુદ્ધિ કરતાં પણ બાકી રહી ગયેલી એવી અતિચારની અશુદ્ધિની અહીં ભેગી (સમૂહરૂપે) શુદ્ધિ માટે આ કાઉ૦ છે. • તે કાઉસ્સગ્નમાં તપ ચિંતવન આ પ્રમાણે કરવાનું છે. પ્રભુ મહાવીર સ્વામિએ ઉત્કૃષ્ટ તપ છ મહિનાનો કર્યો તો હે જીવ! કરી શકીશ? ભાવના છે. શક્તિ નથી પરિણામ નથી, પછી ૫ ઓછા એવો છમાસી તપ કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી પરિણામ નથી તે રીતે આગળ ૧૦ ઓછા – ૧૫ ઓછા, ૨૦ ઓછા, ૨૫ ઓછા, છમાસી તપ કરી શકીશ. એમ દરેક વખતે ભાવના છે. શક્તિ નથી પરિણામ નથી, એમ ચિંતવવું પછી ૫ માસી તપ કરી શકીશ ? ૫ ઓછા, ૧૦ ઓછા, ૧૫ ઓછા, ૨૦ ઓછા, ૨૫ ઓછા પછી. ચારમાસી એ પ્રમાણે ઉતરતા ત્રણ માસી, બે માસી સુધી ૧ માસી તપ કરી શકીશ? ભાવના છે. શક્તિ નથી, પરિણામ નથી. એમ ચિંતવવું પછી. ૧ ઉપ૦ ઓછો, એવો ૧ માસી તપ કરી શકીશ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી, એ પ્રમાણે ર ઓછા, ૩ ઓછા, યાવત ૧૩ ઓછા પછી ૩૪ ભક્ત કરી શકીશ, ૩ર ભક્ત, ૩૦ ભક્ત યાવત્ અટ્ટમ, છઠ્ઠ, ચઉત્થભત, ઉપવાસ, આયંબિલ, નીવી, એકાસણું, બિયાસણું, અવઢ, પુરિમઢ, સાઢપોરિસી, પોરિસી, નવકારશી સુધી ચિંતવવું, હવે જે તપ કરેલો હોય પણ આજે કરવાનો ન હોય ત્યાંથી ભાવના છે. શક્તિ છે, પરિણામ નથી એમ ચિંતવવું અને જે તપ આજે કરવાનો છે ત્યાં ભાવના છે, શક્તિ છે, પરિણામ છે એમ ચિંતવવું પછી નમો અરિહંતાણં બોલી કાઉસ્સગ્ગ પારવો. કાઉ૦નું આવું ચિંતવન જેને ન આવડતું હોય તેણે ૧૬ નવકારનો કાઉસ્સગ્ન કરવો. કાઉ0 પારી લોગઇ કહી પછી મુહપત્તિ પડિલેહી વાંદણા દઈને, “સકલતીર્થ” વડે તીર્થોની વંદના કરીને પછી. પૂર્વે ચિંતવેલ પચ્ચક્ખાણ કરે અને “સામાયિક, ચઉવીસત્યો, વાંદણા, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખણ કર્યું છે જી' એમ બોલે, (૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy