SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ લોગ) ચંદેસુ સુધી ગણવા તથા સ્ત્રીને સ્વપ્નમાં આસેવન કરવાથી ૪ લોગ) સાગરવર ગંભીરા સુધી ગણવા.). • આ કાઉસ્સગ્ગ ખરાબ સ્વપ્ન આદિથી પેદા થયેલા પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત રૂપે છે અને તે કાઉ૦ રાઈ પ્રતિક્રમણથી જુદો છે. કારણ કે દુઃસ્વપ્ન (સ્ત્રી સેવનરૂપ સ્વપ્ન)ના પ્રાયશ્ચિત રૂપે હોવાથી. તે પછી સર્વ ધર્મક્રિયા શ્રી દેવ-ગુરુને વંદનપૂર્વક કરે તો સફળ થાય છે માટે પૂર્વે કહ્યું તે મુજબ પ્રથમ “જગચિંતામણિ” ચૈત્યવંદન જયવયરાય સુધી કરવું. તે પછી ચાર ખમાસમણા વડે ગુર્નાદિકને વંદન કરી સક્ઝાય સંદિસાહુ અને સજઝાય કરું નો આદેશ માંગી નવકાર કહી પછી ભરફેસરની સઝાય કહેવી (વાસ્તવમાં છેલ્લા પ્રહરમાં ઉઠેલા સાધુ કે શ્રાવક રાઈઅ પ્રતિક્રમણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય, કાયોત્સર્ગાદિ કરે.) પછી ઈચ્છકાર સુતરાઈ વડે સુખશાતા પૃચ્છા કરી રાઈઅ પડિક્કમણે ઠાઉં? આદેશ માંગી સવ્વસ્સવિ રાઈય. રાત્રિક અતિચારનું બીજક સૂત્ર કહેવું તે પછી “નમુત્થણ” વડે સંક્ષિપ્ત દેવવંદન કરવું. પ્રશ્ન-૨ : પૂર્વે જગચિંતામણિ' વડે દેવવંદન કર્યું છે તો અહીં ફરીથી સંક્ષિપ્ત (સોટ) દેવવંદન કયા હેતુથી કરાય છે ? જવાબ: જગચિંતામણિનું ચૈત્યવંદન (દેવવંદન) એ સ્વાધ્યાય આદિ કરવા માટે માંગલિક તરીકે હતું અને શોર્ટ દેવવંદન (નમુત્થણી એ રાત્રિ પ્રતિક્રમણના પ્રારંભમાં મંગળ કરવા માટે છે. પ્રશ્ન-૩ : સાંજના પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ ઠાવ્યા પછી કરેમિ ભંતે બોલાય છે તો સવારના પ્રતિક્રમણમાં નમુસ્કુર્ણ પછી કરેમિ ભંતે કયા હેતુથી બોલાય છે? જવાબ : રાત્રિપ્રતિક્રમણના પ્રારંભમાં નમુ0 માંગલિક માટે છે - તેથી સર્વત્ર દેવ (પ્રભુ) ભક્તિ કરવા જેવી છે તથા તેવી પરંપરા છે માટે નમુત્થણે શરૂમાં આવ્યું અને પછી કરેમિ ભંતે કહેવું. આ મુજબ નમુત્થણે કહી ઊભા થઈ કરેમિ ભંતે કહી ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારના અતિચારની વિશુદ્ધિ માટે અનુક્રમે ત્રણ કાયોત્સર્ગ કરવા ૧લામાં એક લોગ0 રજામાં એક લોગO અને ૩જામાં નાણમિની ૮ ગાથા ગણવી. પ્રશ્ન-૪ : દેવસિ પ્રતિવમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે ૨ લોગ0નો કાઉ૦ કર્યો હતો તો સવારના પ્રતિક્રમણમાં ૧ લોગ નો કાઉ૦ છે એ કયા હેતુથી ? જવાબ : રાત્રિમાં ગમન આદિ થોડું (અલ્પવ્યાપાર) હોવાથી ચારિત્રાચારના અતિચાર ઓછા લાગે છે માટે ૧ લોગઇ છે. પ્રશ્ન-૫ : સાંજના પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ ઠાવ્યા પછી તરત જ શરૂઆતમાં (૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy