SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કે છેલ્લે પણ મંગળ કરવું જોઈએ. ધર્મ હૈયામાંથી નીકળી ન જાય માટે તે પછી શ્રાવક “અઠ્ઠાઈજેસુ' કહી અઢી દ્વિપના સર્વે મુનિને વાંદે. (મુનિને તે સૂત્ર શ્રમણસૂત્રમાં આવી જાય છે. માટે બોલવાનું નથી.) તે પછી “દેવસિઅ પાયચ્છિત્તનો કાઉ૦ કરવો. પ્રશ્ન-૪૦ : પહેલા અતિચારોની શુદ્ધિ માટે કાઉસ્સગ્ન કર્યો હતો છતાં અહીં ૪ લોગ)નો કાઉ૦ ફરી કયા હેતુથી કરાય છે ? જવાબ : પહેલાં અતિચારોની વિશુદ્ધિ માટે કાઉ૦ કર્યો હતો છતાં બીજી વખત કરવાથી. તે વિશુદ્ધિ મજબૂત (દઢ) થાય છે. (માટે ૪ લોગ)નો કાઉ૦ ફરી કરાય છે. પછી લોગસ્સ બોલાય છે તે મંગળ માટે છે. તે પછી બે ખમા. દઈને સઝાય સંદિસાહુ અને સઝાય કરું ? એમ આદેશ માંગી માંડલીમાં બેસી નવકાર કહી સજઝાય બોલી. નવકાર કહેવો. તે પછી “દુખખય કમ્મફખય નિમિતે કાઉ૦ કરું? ઇચ્છ, દુખકખય કમ્મફખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય કહી ૪ લોગીનો સંપૂર્ણ કાઉ0 કરવો, લઘુશાંતિ કહેવી અને પ્રગટ લોગસ્સ કહેવો. તે પછી શ્રાવકને સામાયિક પારવાની અંતર્ગત ચઉકૂકસાયનું ચૈત્યવંદન જયવીયરાય સુધી કરવું. (રાઈએ પ્રતિક્રમણના હેતુઓ ) દેવસિઅ કરતાં રાઈઅ પ્રતિક્રમણના હેતુઓમાં જે ફરક છે તે અહીં કહેશું. બાકી દેવસિએ પ્રતિક્રમણની જેમ સમજી લેવા. રાત્રિના છેલ્લા પ્રહરે ઊંઘને ત્યજી ઉપાશ્રયમાં આવી શુદ્ધ કપડાં પહેરી દાગીના છોડી સ્થાપનાચાર્ય સ્થાપી ઈરિયાવહિયં કરી સામાયિક લેવાની વિધિ કરે. પ્રશ્ન-૧ : પહેલી ઇરિયાવહિયં કયા હેતુથી કરાય છે ? જવાબઃ ઈરિયા વગર ચૈત્યવંદન, સજઝાય, આવશ્યક આદિ કરવું કલ્પતું નથી. એવું શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. દ્રવ્ય પૂજા કરવા માટે શરીરની બાહ્યશુદ્ધિ કરાય છે તેમ ભાવપૂજા કરવા માટે. આત્માની અંતરશુદ્ધિ કરાય છે માટે આ પ્રમાણે સાધુ ઈરિયાવહિયં કરી અને શ્રાવક સામાયિક લઈ અને ખમાસમણ પૂર્વક ઇચ્છા. સંદિસહ ભગવદ્ કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈ પાયચ્છિત વિસોહણë કાઉ૦ કરું? ઇચ્છે કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈય પાયચ્છિત્ત વિરોહણ← કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય, ઇત્યાદિ કહી ૪ લોગ)નો ૧૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉ૦ કરવો પરંતુ સ્ત્રીના રાગ વાળું સ્વપ્ન તે કુસુમિણ કહેવાય. કેષવાળું સ્વપ્ન તે દુસુમિણ કહેવાય. (હવે સ્ત્રીને રાગ વડે સ્વપ્નમાં જોઈ હોય તો તે દૃષ્ટિ વિપર્યાસ કહેવાય છે. અને સ્વમમાં સ્ત્રીનું સેવન તે સ્ત્રી વિપર્યાસ કહેવાય છે. સ્ત્રીને સ્વપ્રમાં રાગથી જોવાથી રાગ થવાથી (૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy