SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રુ ગામ ક્રોડના સ્વામી હતા જે ભરતક્ષેત્રને વિષે ભગવાન. શબ્દાર્થ - છત્રવઈ ગામકોડિ-છગ્ન ક્રોડ ગામના, આસી-હતા, જો-જે, ભારહંમિ-ભરતક્ષેત્રમાં, તં સંતિ સંતિકર સંતિર્ણ સવ્વભયા તે ઉપશાંત રૂ૫, શાંતિને કરનારા, સારી રીતે કર્યા છે સર્વ ભયો જે, સંતિ ગુણામિ જિર્ણ સંતિ વિહેઉ મે 1શા રાસાનંદિઅયં *ii શ્રી શાંતિનાથની સ્તવના કરું છું જિનેશ્વરને શાંતિને કરવાને માટે મને. શબ્દાર્થ - તં સંતિ-તે ઉપશમ રૂપને, સંતિકરં-શાંતિને કરનારા અથવા મોક્ષને ૯. અશ્વરત્ન, ૧૦. ગજરત્ન એ બંને મહાપરાક્રમવાળા હોય. ૧૧. સેનાપતિ રત્ન તે ચક્રવર્તિની સહાય વિના ગંગાસિંધુની બહાર પાસેના ચાર ખંડને જીતે. ૧૨. ગૃહપતિરત્ન તે ગૃહની ચિંતા રાખે. ૧૩. વાર્ષિકર તે મકાનો બાધે, લશ્કરનો પડાવ કરાવે, વૈતાદ્યની ગુફામાં આવેલી ઉન્મના અને નિમ્નગા નદીના પૂલ બાંધે, ઇત્યાદિ બાંધકામ કરે. ૧૪. સ્ત્રીરત્ન અત્યંત અદ્દભુત રૂપવંત અને ચક્રવર્તિને ભોગયોગ્ય હોય. એ પ્રત્યેક રત્ન એક હજાર યક્ષોએ અધિષ્ઠિત હોય અને બે હજાર યક્ષ ચક્રીની બે બાજુના અધિષ્ઠિત હોય, એ ૧૬ હજાર યક્ષ ચક્રવર્તિના સેવક હોય. ચક્ર, દંડ, છટ અને ચર્મ એ ચાર આયુધશાળામાં ઉત્પન્ન થાય. ખડ્ઝ, કાગિણી અને મણિ એ ત્રણ ભંડારમાં ઉત્પન્ન થાય. ગજ અને અશ્વ વૈતાઢય પર્વતમાં ઉપજે. સ્ત્રીરત્ન ક્ષત્રિય રાજાને ઘેર ઉત્પન્ન થાય અને બાકીનાં ચાર ચક્રીના નગરને વિષે ઉત્પન્ન થાય. * નવ નિધાનનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું : ૧. ગ્રામ (ફરતી વાડી હોય તે), આકર (મીઠું પાકે તે), નગર (રાજધાની થાય તે), પાટણ (જળ અને સ્થળના માર્ગ હોય તે), દ્રોણમુખ (જયાં જળમાર્ગ જ હોય), મંડપ (અઢી ગાઉ ફરતાં ગામ ન હોય તે), સૈન્ય અને ગૃહની માંડણી એ સર્વે નૈસર્પ નામે નિધાનને વિષે હોય. ૨. ગણિત, ગીત, ચોવીશ જાતનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર એ સર્વ પાંડુક નિધાનમાં હોય. ૩. સર્વ જાતના આભરણ, અશ્વ તથા હાથીનાં આભરણ, તેના વિધિપિંગલક નિધાનને વિષે હોય. ૪. ચક્રવર્તિનાં ચૌદ રત્ન વગેરે સર્વરત્ન નામે ચોથા નિધાનના યોગે થાય. કેટલાએક કહે છે કે – આ નિધનથી તે રત્નો મહાદીપ્તિવંત થાય. ૫. વસ્ત્રની ઉત્પત્તિના પ્રકાર, રંગની ઉત્પત્તિ, સાત ધાતુ, વસ્ત્ર ધોવાની રીત વગેરે મહાપાનિધાનમાં હોય. ૬. સમસ્ત કાળજ્ઞાન (જ્યોતિષ્ક) તીર્થંકરાદિના વંશાદિકનું કથન, શિલ્પવિદ્યા, કર્પણ (ખેતી), વાણિજય (વેપાર) વગેરે કાળનિધાનમાં હોય. ૭. લોઢું, સોનું, મણિ, મોતી, સ્ફટિક અને પરવાળાના સમૂહ મહાકાળ નિધાનમાં હોય. ૮ શૂરવીર યોદ્ધાની ઉત્પત્તિ હથિયાર વગેરે યુદ્ધસામગ્રી, યુદ્ધનીતિ, દંડનીતિ એ માણવક નિધાનમાં હોય. ૯. નાટ્યવિધિ, ગદ્ય-પદ્યની વિધિ એ મહાશંખ નિધાનમાં હોય. આ નવે નિધાન ઉત્સધાંગુલે આઠ યોજન ઊંચાં, નવ યોજન પહોળાં અને બાર યોજન લાંબા, પેટીના આકારે ગંગા નદીના મુખ આગળ સદા રહે છે. ચક્રવર્તિ ઉત્પન્ન થઈ છ ખંડ સાધીને જયારે પાછા વળે ત્યારે તેની સાથે આવી ચક્રીની નગરીમાં પાતાળમાં રહે. આ નિધાનો વિવિધ રત્નમય છે અને ઘણાં ધન અને રત્નાદિ સમૃદ્ધિએ કરી સહિત છે. આનું વિશેષ વર્ણન જોવાની ઇચ્છાવાળાએ પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથ જોવા. * આ બીજા પ્રકારનો વેષ્ટક છંદ છે. * આ રાસાનંદિતક છંદ છે. 8282828282URVAVAVAVAURURURX28282828282828A દબ પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧પ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy