SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ અવાજ કરતાં મધુર અને કલ્યાણકારી વાણી છે જેની એવા, દુશ્મનનો સમુદાય જીત્યો છે જેણે, જીત્યા છે સર્વ ભયોને જેણે, ભવપરંપરાના શત્રુ એવા શ્રી અજિતનાથ સ્વામીને પ્રણામ કરું છું અને હે ભગવાન ! મારા પાપને શાંત કરો. (૯, ૧૦) (શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ) કુરજણવયહત્થિણાઉરનરીસરો પઢમં તઓ મહાચક્ક-વટ્ટિોએ મહપ્પભાવો, કુરુદેશના હસ્તિનાપુર નગરીના રાજા પ્રથમ ત્યાર પછી મોટા ચક્રવર્તીના રાજ્યને ભોગવનારા, મોટો પ્રભાવ છે જેમનો, જો બાવત્તરિ પુરવરસહસ્સવર નગર નિગમજણવચવઈ બત્તીસા રાયવરસહસ્સા છુયાયમગ્ગો જે બહોતેર શહેરો મુખ્ય, હજાર, પ્રધાન, નગર*, નિગમ* અને દેશના સ્વામી બત્રીશ રાજાઓ શ્રેષ્ઠ હજાર અનુસર્યા છે માર્ગ જેમનો, ચઉદસવરરયણ નવ મહાનિહિ ચઉસટ્વિસહસ્સ પવર જુવઈણ સુંદરવઈ ચુલસીહયગચરહસયસહસ્સસામી ચૌદ શ્રેષ્ઠ રત્ન, નવ મહાનિધિ*, ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના સુંદર સ્વામી, ચોરાશી લાખ ઘોડા, હાથી, રથના સ્વામી છન્નવગામકોડિ સામી આસી જો ભારહંમિ ભયવં ||૧૧|| વેલુઓ * * જેમાં કર ન હોય તે. * મોટા વ્યાપારીઓની દુકાનવાળાં સ્થાનો-વ્યાપારનાં સ્થાનો. * ચૌદ રત્નો દરેક ચક્રવર્તિને હોય તે આ પ્રમાણે જાણવાં : ૧. ચક્રરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, વૈરીનું મસ્તક છેદે. ૨. છત્રરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, ચક્રવર્તિના હસ્તસ્પર્શે બાર યોજન વિસ્તારવાળું થાય. જે ઉત્તર દિશાના મ્લેચ્છ રાજાના દેવતાએ વરસાવેલા વરસાદને રોકવા સમર્થ થાય. ૩. દંડરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, વાંકી ભૂમિને સરખી કરે, જરૂર પડ્યે હજાર યોજન જમીન ખોદે. ૪. ચર્મરત્ન બે હાથનું હોય, જરૂર પડ્યે ચક્રવર્તિના સ્પર્શે બાર યોજન લાંબુ થાય, તેમાં સવારે શાલિપ્રમુખ ધાન્ય વાવ્યાં હોય, તે સાંજે ઉપભોગયોગ્ય તૈયાર થાય. ૫. ખડ્ગરત્ન બત્રીશ આંગળનું હોય, તે સંગ્રામમાં અત્યંત શક્તિવંત હોય. ૬. કાગિણિરત્ન ચાર અંગુલ પ્રમાણ હોય, તેના વડે ચક્રી વૈતાઢ્ય પર્વતની ગુફામાં બંને બાજુ ઓગણપચાસ પ્રકાશ આપનારાં મંડળ કરે. ૭. મણિરત્ન ચાર આંગળ લાંબુ ને બે આંગળ પહોળું હોય, તે છત્રરત્નના તુંબા ઉપર બાંધ્યું છતું બાર યોજન પ્રકાશ કરે અને હાથે કે માથે બાંધ્યું હોય તો સમસ્ત રોગને હરે. એ સાત રત્ન એકેન્દ્રિય જાતિનાં છે અને બીજાં સાત પંચેન્દ્રિય જાતિના છે. ૮. પુરોહિતરત્ન તે શાંતિકર્મ કરે. XAVAKATANAAAAAAAAAAAAAA ૧૫૮ દ્રવ્ય પ્રતિષ્ઠક્ષણને ભાવ પ્રતિષ્ઠા કેવી રીતે બનાવશો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy