SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે ૧૨મા ગુણઠાણાના અંતે થવા છતાં તરત મુક્તિ પ્રાપ્ત થતી નથી માટે ગવાણું કે - કડી – ચારિત્ર વિણ નવિ મુક્તિ રે. (૩) ચારિત્ર વગરનાને સમકિત હોય કે ન હોય, પણ ચારિત્રવાળાને તો સમકિત હોય જ છે. વળી (૪) ચારિત્ર વિના જ્ઞાન દર્શન સંપૂર્ણ ફળને આપતા નથી પરંતુ જ્ઞાનદર્શન, તો ચારિત્રથી યુક્ત હોય તો સંપૂર્ણ ફળ આપે છે. (પ) કેવળજ્ઞાનથી ચારિત્ર અધિક ગણાય છે. કારણ કે ગૃહસ્થાવાસમાં રહેલ કેવળી હોય અને દીક્ષા લીધેલ કોઈ સાધુ હોય તો - બંનેમાંથી વંદન કોને કરશો ? જેની પાસે વ્યવહાર ચારિત્ર (વેશ+ગુણ) હશે તેને જ. અને કેવળ જ્ઞાની એવા ગૃહસ્થને દેવો પણ નમતા નથી. માટે ચારિત્ર શ્રેષ્ઠ છે. માટે પ્રથમથી જ ચારિત્રાચારની શુદ્ધિ માટે શ્રાવકને નાણમિનો કાઉસ્સગ્ન કરાય છે તથા સાધુને ગાથાનો કાઉ૦ કરાય છે. આ કાઉ૦ દિવસ દરમ્યાન જે દોષ લાગ્યા હોય તે દોષોને પણ શ્રાવકો અને સાધુઓએ યાદ કરીને ધારી રાખવાના છે. કારણ કે તે પછી દેવસિએ આલોઉ બોલતી વખતે - ગુરૂની સમક્ષ થયેલ દોષોની આલોચના કરવાની છે. અર્થાત દોષોને ધોવાના છે માટે પહેલા, નાના દોષો પછી મોટા દોષો કહેવાના છે. માટે મનમાં એ રીતે ગોઠવી રાખે. લોકવ્યવહારમાં પણ રાજાદિકને મુદ્દાસર ગોઠવીને કહેવાનું હોય છે તેમ અહીં પણ સમજી લેવું. અહીં ગાથાના કાઉ૦નું ચિંતવન વડીલ સાધુને બે વાર કરવાનું છે. નાના (શિષ્યાદિ)ઓને. એકવાર કરવાનું છે. કારણ કે નાનાઓને ક્રિયા કાર્ય સંબંધી ઘણું યાદ કરવાનું છે. તેથી તેમ થવાથી શિષ્યોને પૂરતો સમય મળી શકે અને શ્રાવકોએ પાંચ આચારના જે અતિચારો કહેલા છે તેમાંના તે દિવસમાં પોતાને જે લાગ્યા હોય તે અતિચારોને મનમાં ક્રમથી ગોઠવીને ધારી રાખવાના છે. પછી કાઉ પારી લોગસ્સ (ચોવીસસ્તવ) કહેવો. અહીં બીજું આવશ્યક (ચઉવિસત્થો) સૂચિત થાય છે. તે પછી મુહપત્તિનું પડિલેહણ કરી વાંદણા આપે. અહીં ત્રીજું આવશ્યક વાંદણા સૂચિત થાય છે. પ્રશ્ન-૧૩ : અહીં ત્રીજું આવશ્યક એવા વાંદણા આપવાનો હેતુ શું છે ? જવાબ : નાણમિના કાઉમાં તથા સયણાસણન્નની ગાથામાં ધારેલા (યાદ રાખેલા) અતિચારોની આલોચના કરવાની છે. દિવસિએ આલોઉથી) અર્થાત અતિચારો ગુરુને કહેવાના છે. માટે કહ્યા પહેલા વિનય પ્રદર્શિત કરવા માટે વાંદણા આપવાના છે. • ૩૨ દોષરહિત ૦ ૧૭ સંડાસાપૂર્વક અને ૨૫ આવશ્યકથી યુક્ત એવા વિશુદ્ધ વાંદણા આપવા જોઈએ. • ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે કે ૨૫ આવશ્યકમાંથી એકને (૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy