SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વિરાધ અથવા ઓછું દે તો વાંદણા દેવાના નિર્જરાફળને તે પામી શકતો નથી તેથી ૨૫ આવશ્યકોને જાણીને જાળવવા બરાબર ઉપયોગ રાખવો જોઈએ. પ્રશ્ન-૧૪ : આ આવશ્યક એટલે શું? અને વાંદણાના ૨૫ આવશ્યક કયા છે? જવાબ : અવશ્ય સાચવવાના તે આવશ્યક કહેવાય. વાંદણાના ૨૫ આવશ્યક આ પ્રમાણે છે. ૨ અવનત + ૧ યથાજાત + ૧૨ આવર્ત + ૪ શિરનમન + ૩ ગુપ્તિ + ૨ પ્રવેશ + ૧ નિષ્ક્રમણ = ૨૫. તેની વિગત આ મુજબ છે :- (ર અવનતા વાંદણામાં બે વાર શરીરનો ઉપરનો ભાગ નમાવવો, પહેલું વાંદણુ દેવા માટે અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગતા એટલે “અણજાણહ મે મિઉમ્મહ એ પદ બોલતાં શરીરનો ઉપરનો ભાગ નમાવવો. તે ૧ અવનત થયું. બીજી વાર વાંદણામાં બીજું થાય - એ બે અવનત રૂપે બે આવશ્યકો થયા.) + ૦ (૧ યથાકાત - એટલે જે રીતે દીક્ષામાં જન્મ થયો હતો. અર્થાત્ ઓઘો મુહપત્તિ અને ચોલપટ્ટો એટલું જ રાખી સાધુ થયેલો, તો તેટલું જ રાખી હાથ જોડે... અથવા જન્મતો બાળકના બે હાથ જોડેલા હોય તેમ કરસંપુટ કરેલા હાથને લલાટે લગાડે તે યથાકાત આવશ્યક કહેવાય.) + ૦ (૧૨ આવર્ત : એક વાંદણામાં ૬ આવર્ત. આવે તો બે વાંદણા થઈને ૧૨ થાય. તે આ પ્રમાણે છે. પ્રથમ ૩ આવર્ત “અહો કાયં કાય.” એ બે બે અક્ષરો થાય એટલે “અ” બોલતા બે હાથની દશેય આંગળીઓ નખના સ્પર્શ વગર ગુરુચરણે લગાડે (ગુરુચરણની સ્થાપના શ્રાવક મુહપત્તિથી અને સાધુ મુહપત્તિ ઢીંચણ પર મુકી ઓધાથી કરે.) તથા હો’ ઉત્તાન હાથે (સવળા હાથે) પોતાના લલાટને સ્પર્શે, એમ બે બે અક્ષરના ત્રણ પદો બોલતાં ૩ આવર્ત થયા. પછી હાથ જોડી “વઈઝંતો’ સુધી બોલે અને ત્યાંથી બીજા ૩ આવર્ત ૩-૩ અક્ષરના જતાભે જવણિ જર્જ ચભે જાણવા. તેમાં પહેલો અક્ષર “જ ગુરુચરણે અવળો હાથ લગાડતાં. “રા' ઉત્તાન (સવળા) બંને હાથે વચ્ચે વિશ્રામરૂપ કહે અને ત્રીજે અક્ષર “ભે' લલાટના ભાગે હાથ લગાડતાં બોલે આ એક આવર્ત થયો તે જ રીતે “જવણિજ' અને “જંચભે'ના ૩-૩ અક્ષરો એ ઉપર મુજબ આવર્ત કરવા. એમ ૩ આવર્ત થયા. આમ પહેલે વાંદણે ૬ આવર્ત અને તે મુજબ જ બીજા વાંદણે ૬ આવર્ત મળીને કુલ ૧૨ આવર્ત થયા) + ૦ (૪ શિરનમન એટલે ૪ વખત માથું નમાવવું તેમાં પહેલા ૩ આવર્ત થયા પછી “સંફાસ' બોલતાં ૧લી વાર અને બીજા ૩ આવર્ત થયા પછી ખામેમિ' બોલતાં રજી વાર એમ એક એક વાંદણામાં ૨ વખત અને બે વાંદણા થઈને ૪ શિરનમન થયા.) + ૦ (૩ ગુપ્તિ - વાંદણા દેતાં મન-વચન-કાયાની ગુપ્તિ રાખવી. (કાયાને ઠેકાણે રાખવી) ) + ૦ ર પ્રવેશ + અને ૧ નિષ્ક્રમણ. એટલે બે વાર ગુરુની આજ્ઞા માંગી અવગ્રહમાં પ્રવેશ કરવો. અને એક નિષ્ક્રમણ એટલે અવગ્રહની બહાર નીકળવું. તે આ પ્રમાણે પ્રથમ વાંદણે આજ્ઞા માંગી (૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy