SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ • દેવવંદન કરીને ચાર ખમાસમણ વડે ગુરુને વંદન કરવું. • દુનિયામાં પણ મોટા માણસ એવા રાજા-મંત્રીના બહુમાનથી કાર્ય સિદ્ધ થાય છે તેમ અહીં સૌથી મહાન રાજા એવા તીર્થકર ભગવાન અને સૌથી મહાન મંત્રી રૂપ આચાર્યાદિ. પ્રશ્ન-૧૦ : ચાર ખમાસમણમાં “ભગવાનહ” આદિનો અર્થ શું છે ? જવાબ : ‘ભગવાનહ'નો અર્થ જેની નિશ્રામાં પ્રતિક્રમણ કરીએ છીએ એવા એક આચાર્યને વંદન કરું છું તથા આચાર્યહનો અર્થ – સર્વ આચાર્યોને વંદન કરું છું વગેરે. (નોંધ : “ભગવાન” એ આર્ષ ષષ્ઠી એ.વ. છે.) • ત્યારપછી ઈચ્છકારી સમસ્ત શ્રાવક વંદુ તેમ શ્રાવકોએ સભામાં બધા સાંભળે તે રીતે બોલવું જોઈએ. • પછી અતિચારરૂપી ભારથી ભરેલો હોય તેમ કાયાને નમાવી મસ્તક જમીનને અડાડીને હાથ ખુલ્લો સ્થાપીને સંપૂર્ણ પ્રતિક્રમણના બીજ રૂપ તથા સમસ્ત અતિચારના બીજરૂપ એવું “સબૂસ્સવિ દેવસિઅ સૂત્ર બોલવું. - આ સૂત્રનો અર્થ આ રીતે છે. દિવસના સર્વ અતિચાર હવે દુશ્ચિંતિત એટલે દ્વેષ આદિ વડે દુષ્ટ ચિંતવન રૂપ (વિચાર) હોય તે, દુર્ભાષિત એટલે - ઉપયોગ વિના. અનિષ્ટ એવી દુષ્ટાદિ ભાષા બોલવાથી થયા હોય તે, દુશ્લેષ્ટિત - એટલે ઉપયોગ વગર હાલવા ચાલવા આદિ કાર્યો તથા કામવાસના વગેરે કાર્યની દુષ્ટ ચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરવાથી અતિચારો થયા હોય તે મિથ્યા થાઓ (નાશ થાઓ). પ્રશ્ન-૧ ૧ : “સબ્સ્સવિ દેવસિએ” સૂત્રને બીજ સૂત્ર શા માટે કહેવાય છે? જવાબ: આખા પ્રતિક્રમણની સંક્ષિપ્ત વિગત આ સૂત્રમાં જ છે અને પ્રતિક્રમણમાં આ સૂત્રમાં કહેલી બાબતોને (ક્રિયાઓને) વિસ્તારથી કરવાની છે માટે આ સૂત્રને બીજરૂપ (બીજસૂત્રો કહેવાય છે. • પછી ઊભા થઈને. પ્રથમ (પહેલા) ચારિત્રાચારની શુદ્ધિને માટે કરેમિ ભંતે અને ઈચ્છામિઠામિ (શ્રાવક શ્રાવિકા ગુરુ નિશ્રામાં પ્રતિક્રમણ કરતા હોય ત્યારે કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ' વિગેરે સૂત્રો દરેક સ્થળે પોતાના અલગ ધારી લેવા જોઈએ તથા પ્રતિક્રમણના સૂત્રો પણ ભણાવનારની સાથે પોતે મનમાં ધારવાના છે. આ વાતને ન ભૂલે) વગેરે સૂત્રો કહી કાયોત્સર્ગ કરવો. પ્રશ્ન-૧૨ : પાંચે આચારમાં સૌથી પહેલા ચારિત્રાચારની શુદ્ધિ કેમ કરાય છે ? જવાબ : (૧) પાંચેય આચારમાં ચારિત્રાચાર મોટો છે. (૨) મુક્તિનું નજીકનું (ડાયરેક્ટ) કારણ છે. અને જ્ઞાનાદિ તો પરંપરા એ કારણ છે. તે આ રીતે ચારિત્ર ૧૪મે ગુણઠાણે છે. ૧૪મા પછી તત્કાળ (તરત) અવશ્ય મુક્તિ થાય છે અને કેવળજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy