SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ છ કાયના સમારંભને વિષે પોતે રાંધતાં અથવા બીજા પાસે રંધાવતાં જે દોષ લાગ્યા હોય, અત્તઠ્ઠા ય પટ્ટા, ઉભયટ્ટા ચેવ તં નિદૈ Iloll પોતાના માટે અથવા બીજાને માટે, અથવા બંને માટે, નિચ્ચે તેને નિંદું છું. શબ્દાર્થ - છક્કાય-કાયના, સમારંભે-સમારંભને વિષે પ્રવર્તવાથી, પયણેપોતે રાંધતાં, પયાવણે-બીજાની પાસે રંધાવતાં, જે-જે, દોસા-દોષ લાગ્યા હોય, અત્તટ્ટા-પોતાને અર્થે, (માટે) પરટ્ટા-પરને અર્થે, ઉભયટ્ટા-પોતાને તથા પરને બંનેને અર્થે, ચેવ- નિશે. અર્થ - પોતાને માટે તથા બીજા માટે, વળી પોતાને તથા બીજાને એ બંનેને માટે પોતે રાંધતાં, બીજા પાસે રંધાવતાં અને બીજા રાંધતા હોય તેને અનુમોદન દેતાં, છ કાયના સમારંભમાં પ્રવર્તતાં જે દોષ લાગ્યા હોય તેને હું નિદું છું. (સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચહ-મણુવ્રયાણં', ગુણવયાણં ચ તિરહમઈયારે I પાંચ અણુવ્રતને વિષે, ગુણવ્રત ત્રણને વિષે અતિચાર, સિખાણ ચ ચહિં, પડિક્કમે દેસિ સવૅ l૮ના શિક્ષાવ્રતને વિષે ચાર, પાછો ફરું છું દિવસ સંબંધી સર્વથી. શબ્દાર્થ - પંચહે-પાંચ, અણુવ્રયાણ-અણુવ્રતને વિષે, ગુણવ્રયાણ-ગુણવ્રતને વિષે, તિહ-ત્રણ, સિખાણું-શિક્ષાવ્રતને વિષે, ચહે-ચાર, પડિક્કમે-હું પડિક્કનું છું. અર્થ - પાંચ અણુવ્રતને વિષે, ત્રણ ગુણવ્રતને વિષે, ચાર શિક્ષાવ્રતને વિષે અને તપ-સંલેષણાદિને વિષે, જે દિવસ સંબંધી અતિચાર લાગ્યા હોય તેથી હું પાછો ફરું છું. પઢમે અણુવચંમિ, થુલગ-પાણાઇવાયવિરઈઓ * ૧. સમ્યક્તની પ્રાપ્તિ થયા પછી પ્રાપ્ત થાય માટે અનુવ્રત અને મહાવ્રતની અપેક્ષાએ ન્હાનાં માટે અણુવ્રત તે પાંચ છે, તે પાંચ મૂળ ગુણ છે. ૨. મૂળ ગુણોને વિશેષ પ્રકારે ગુણ કરવાવાળા (પુષ્ટિવાળા) તેથી ગુણવ્રત તે ત્રણ છે. ૩. શિષ્યને વિદ્યા ગ્રહણની પેઠે વારંવાર સેવન કરવા યોગ્ય હોવાથી શિક્ષાવ્રત, (સંયમની તાલિમરૂપ વ્રત) તે ચાર છે. બાર વ્રત માંહેલા પહેલાં આઠ વ્રતો યાવત્કથિત (કાયમના) અને આ શિક્ષાવ્રત ઈતરકાલિક (થોડા કાળ માટેના)સમજવાં. * અહીં કોઈ કોઈ શંકા કરે કે પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળાને વધાદિ અતિચાર લાગે નહિ. કારણ કે પ્રાણાતિપાત શબ્દ વધાદિનું ગ્રહણ થઈ શકે નહિ તેથી અતિચાર ન લાગે. તેને માટે ઉત્તર આપે છે કે - મુખ્યતાએ પ્રાણાતિપાતનું જ પચ્ચખાણ થાય છે. તો પણ વધાદિક પ્રાણાતિપાતના હેતુ હોવાથી તેનું પણ પચ્ચકખાણ આવી ગયું. માટે વધાદિક કરવાથી અતિચાર લાગે છે. SRX2828282828282828282828282828282828282820 ઢcશ્વ પ્રતિમાને ભાવ પ્રતિ મણ કેવી રીતે બનાવશો ? ઉ3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy