________________
८७
Wealth is lost nothing is lost.
Health is lost something is lost. Charactor is lost everything is lost.
જે માણસે સંપત્તિ ગુમાવી છે તેણે કાંઈજ ગુમાવ્યું નથી. જે માણસે તંદુરસ્તી ગુમાવી છે તેણે કાંઈક ગુમાવ્યું છે. પણ જેણે સદાચાર-શીલ ગુમાવ્યું છે તેણે સર્વસ્વ ગુમાવ્યુ છે. પોતાની વાસનાને પૂરી કરવા માટે આજની યુવા પેઢી નાત-જાત કે રાત-દિવસ કાંઈ પણ જોતી નથી... ગમે તેવો હલકામાં-હલકો નિર્ણય લેવા પણ તૈયાર થઈ જાય છે. આ બાજુ પેલો રાજા જેવો રાજા પણ પોતાના નાના ભાઈને મારવા માટે તૈયાર થઈ ગયો. મનમાં જે વિચારોનો જન્મ થાય છે તે દિશામાં વિચારોના ચક્રો ગતિમાન થાય છે. માટે તો મહાપુરૂષો કહે છે કે મનને સતત શુભભાવમાં ૨મતું રાખો. હવે ભાઈને મારવો કેવી રીતે ? સતત તેના છિદ્રોને જુએ છે. એકવાર કંડરીક નિઃશસ્ત્ર ફરતો હોય છે. લાગ જોઈને પુંડરીક રાજાએ પાછળથી ઘા કર્યો. એટલા ઝનૂનથી ઘા કર્યો કે એક જ ઝાટકે કંડરીકનું પ્રાણ પંખેરું ઉડી ગયું. યશોભદ્રાને સમાચાર મળ્યા.. આધાતથી તે મૂઢ બની ગઈ... શું કરવું ? શીલની રક્ષા કેવી રીતે કરવી? તેણે વિચાર્યું કે રાજમહેલમાં રહીને હવે શીલ નહીં રક્ષાય... પ્રાણના ભોગે પણ શીલને તો ખંડિત થવા નહીં દઉં. રાણી રાતો રાત ત્યાંથી ગુપ્ત રીતે નાસી છુટી . . . નાસતાં-નાસતાં સાવત્થી નગરીમાં આવી. રાજાના સકંજામાંથી તો છૂટી પણ હવે શું કરવું ? ત્યાં તેણે કેટલાક સાધ્વીજીઓને સ્થંડિલભૂમિથી પાછા ફરતા જોયા... રાણી તેમની પાછળ-પાછળ ઉપાશ્રય સુધી આવી. ઉપાશ્રયમાં મોટા સાધ્વીજી બેઠેલા છે. તેમને વંદન કરી.. તેમના ચરણોમાં મસ્તક મૂકી દીધું. રડતાં રડતાં પોતાની આપવીતી કહી. કર્મરાજા કોઈને ય છોડતા નથી. કર્મની ફિલોસોફી એ મોટામાં મોટી ફીલોસોફી છે. જગતમાં જે કાંઈ સારું છે તે શુભ કર્મોનું ફળ છે અને જે કાંઈ દુઃખ આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org