________________
ને ઉંધી ચાલે છે. કોઈનું ય માથું ઢાંકેલું જોવા મળે નહિં... કલ્યાણમલ્લ ગુરૂ ,
મહારાજને વંદન કરવા આવ્યા. તેમણે માથે પાઘડી બાંધેલી નહીં. ગુરૂ મહારાજે સ્વાભાવિક જ પૂછ્યું કે કેમ શેઠ પાઘડી બાંધતા નથી? શેઠે કહ્યું કે મેં પણ લીધેલું છે. એનું પણ લીધું છે ? કોઈ સંઘ કાઢવાનું કે? ના, સાહેબ. મેં તો જે આ સહસ્રમલ્લ રાજાનો મંત્રી છે તેને મારવાનું પણ લીધું છે, તેને મારી ના નાખું ત્યાં સુધી માથે પાઘડી બાંધવી નહીં. આ નિયમ લીધાને ૨૫ વર્ષ થયાં પણ હજુ લાગ આવ્યો નથી. ગુરૂ મહારાજને આંચકો લાગ્યો. અરે ! આવો મોટો આગેવાન શ્રાવક અને આવો ક્રોધી - ઘણું સમજાવ્યું છતાં લીધેલી પ્રતિજ્ઞામાંથી ડગ્યા નહીં. હવે એકવાર મોડીરાતે સહસ્રમલ્લ કોઈ કારણસર ગુરૂ મહારાજને મળવા આવ્યા છે. ગુરૂ મહારાજ કોઈ સાધુ સાથે સ્વાધ્યાય કરી રહ્યા છે. સહસ્રમલ્લને જોઈને ગુરૂ મહારાજ બોલ્યા કે આટલી મોડી રાતે આમ એકલા આવો છો તે બરાબર નથી... તમારે સાવધાન રહેવું જોઈએ. મંત્રી કહે કે સાહેબ મારો કોઈ દુશ્મન જ નથી. પછી કોનાથી સાવધાની રાખવાની? ગુરૂ મહારાજ કહે કે ના, ભાઈ એવું નથી. પેલા કલ્યાણમલ્લજીએ તમને મારી નાખવાનું પણ લીધું છે. તેનાથી સાવધાન રહેજો . બનવાકાળ તે જ રાત્રે કલ્યાણમલ્લ પણ કોઈ કારણસર ઉપાશ્રયના એક ખૂણામાં સૂતા છે. તેમના કાને આ વાત પડી. ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. તેમણે કહ્યું કે જે વાત મેં આટલા વર્ષો સુધી ગુપ્ત રાખી હતી તે ગુરૂ મહારાજે બહાર પાડી દીધી. આ તે સાધુ કહેવાય ? પછી તો તેમણે વ્યાખ્યાનમાં આવવાનું બંધ કર્યું. અરે ! ઉપાશ્રયમાં જ આવવાનું બંધ... ગુરૂ મહારાજને વંદન જ નહીં કરવાના. ગુરૂ મહારાજે તપાસ કરી. ઘણીવાર કહેવડાવ્યું કે ઉપાશ્રયે આવે.. પણ
ન જ આવ્યા. એવામાં પર્યુષણ આવ્યા. ગુરૂ મહારાજને એમ કે આજે છે તો મહાપર્વનો દિવસ છે તેથી નક્કી ઉપાશ્રયે આવશે જ. પણ તેઓ તો 6 K ન આવ્યા પણ પરિવારના કોઈ સભ્યોને પણ આવવા ન દીધા. એક દિવસ-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org