________________
૬ ૮
- લે છે. પોતાની ભૂલની માફી માંગે છે. પ્રતિક્રમણ કર્યા પછી ચંદનબાળા ,
સૂઈ જાય છે. મૃગાવતીજી પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરે છે. પશ્ચાતાપનો અગ્નિ એટલો બધો જાજ્જવલ્યમાન બન્યો કે બધાં જ કર્મો તેમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. મૃગાવતીજીને નિર્મળ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાત્રિ ભયંકર જામેલી છે. ઘોર અંધારું છે ત્યાં એક કાળો સર્પ ચંદનબાળા તરફ આવતો મૃગાવતીજી જુએ છે. સર્પના માર્ગમાં ચંદનબાળાનો હાથ છે. મૃગાવતીજી ધીરેથી હાથને ઉંચો કરે છે. હાથને સ્પર્શ થતાં જ ચંદનબાળા જાગી જાય છે, પૂછે છે કે મારો હાથ શા માટે ઉંચો કર્યો ? મૃગાવતીજી કહે છે કે સર્પ આવતો હતો માટે. આવી ઘોર અંધારી રાત્રિમાં સર્પને તમે કેવી રીતે જોયો? આપની કૃપાથી ક્યા એટલે શું? જ્ઞાનના બળથી. કેવું જ્ઞાન? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ? આવીને ચાલ્યું જાય તેવું કે ચાલ્યું ન જાય તેવું ? મૃગાવતીજી કહે છે કે ચાલ્યું ન જાય તેવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ સાંભળતાં જ ચંદનબાળાને પશ્ચાત્તાપ થાય છે કે અરે આવા મહાજ્ઞાનીની મેં આશાતના કરી. ઉચ્ચધારાએ ચઢે છે. મૃગાવતીજીને ખમાવે છે.. ખમાવતાં-ખમાવતાં પોતે પણ તે જ જ્ઞાનના ધારક બને છે. સાચાભાવથી ખમાવવામાં આવે છે ત્યારે બન્ને આત્માનું ખમાવનારનું અને ખમનારનું શ્રેય થાય છે. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજા -
હીરસૂરિ મહારાજના સમકાલીન ઉપાધ્યાય ધર્મસાગર મહારાજ થઈ ગયા. તેમની દીક્ષા વિ.સં. ૧૫૯૫માં થયેલી. ૧૬ વર્ષની નાની ઉંમરે. પ્રખર વિદ્વાન હતા. મહાપ્રભાવશાળી હતા. વિહાર કરતાં કરતાં કોઈ ગામમાં આવ્યા. અને ત્યાં ચોમાસું રહ્યા છે. તે ગામમાં કલ્યાણમલ્લ અને
સહસ્રમલ્લ નામના બે મોટા આગેવાન શ્રાવકો હતા. એ જમાનામાં પાઘડી 6 40 પહેરવાનો રિવાજ. કોઈનું ય માથું ઉઘાડું જોવા મળે નહીં. આજે દુનિયા )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org