SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ १७ અને કહેવડાવ્યું કે હવે જલ્દી આવી પહોંચો.. આ ચાલાક બાઈએ કિલ્લાના દરવાજા બંધ કરાવી દીધા અને કિલ્લા પર પોતાના આખા લશ્કરને તેના જ શસ્ત્રો લઈને ગોઠવી દીધું. તેના જ શસ્ત્રો તેની જ સામે. ચંડપ્રદ્યોત તો પોતાની સામે તકાયેલા પોતાના શસ્ત્રો જોઈને આભો જ બની ગયો. વિલખો પડી ગયો.. ! અરે ! એક સ્ત્રી મને બનાવી ગઈ હવે શું કરવું ? હજુ ઘેરો ઉઠાવ્યો નથી... આ બાજુ મૃગાવતીએ વિચાર્યું કે હાલ તો છૂટી છું પણ હવે જો ભગવાન પધારે તો હું દીક્ષા લઈ લઉં. સંકલ્પ સાચો હતો. તરત જ ભગવાન પધાર્યા છે તેવા સમાચાર મળ્યા. પોતાના લશ્કરને હુકમ કર્યો કે હવે દરવાજા ખોલી નાખો. ભગવાન પધાર્યા છે તેથી કોઈ ઉપદ્રવ કે ભય હોય જ નહીં. દરવાજા ખૂલી ગયા.. મૃગાવતી ભગવાનની દેશના સાંભળવા જાય છે... ભગવાનને પધારેલા જાણીને ચંડપ્રદ્યોત પણ દેશના સાંભળવા આવે છે. બન્ને ભગવાનની દેશના સાંભળે છે. દેશના પૂરી થઈ ગયા પછી મૃગાવતી કહે છે કે ભગવન્ ! ચંડપ્રદ્યોત જો મને દીક્ષા લેવાની રજા આપે અને મારા પુત્રને સાચવે તો હું દીક્ષા લેવા તૈયાર છું. ભગવાન પોતાની નજર જ્યાં ચંડપ્રદ્યોત તરફ ફેંકે છે કે તરત જ ચંડપ્રઘોત ઉભો થઈને કહે છે, ભગવન્ ! મૃગાવતીને તો હું દીક્ષાની રજા આપું છું સાથે મારી પણ કોઈ રાણીને દીક્ષા લેવી હોય તો મારી રજા છે. મૃગાવતી ચંદનબાળા પાસે દીક્ષા લે છે. ચંદનબાળા મૃગાવતીની ભાણેજ થાય. એક વખત ચંદનબાળા-મૃગાવતી વગેરે ભગવાનની દેશના સાંભળવા ગયેલા છે. ચંદનબાળા સમય થયે છતે મુકામમાં પાછા ફરે છે. ચંદ્ર અને સૂર્ય પોતાના મૂળ વિમાને ભગવાનની દેશના સાંભળવા આવેલા... તેથી મૃગાવતીજીને સમયનો ખ્યાલ ન રહ્યો. મુકામમાં આવતા મૃગાવતીજીને મોડું થયું. ચંદનબાળા ઠપકો આપે છે. ચંદનબાળા ભાણેજ છે વળી પોતે મહાસતી છે છતાં પણ મૃગાવતીજી શાંત ચિત્તે સમતાભાવે ઠપકાને સહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy