________________
છે તેનું મૃત્યુ થાય છે. રાણીને આઘાત લાગે છે પણ પરિસ્થિતિ પારખી લીધી.
તે પણ ચાલાક અને હોશિયાર હતી. પોતાના શીલની અને પાંચ વર્ષના નાના પુત્રની જવાબદારી પોતાને માથે છે. એક બાજુ શીલનું રક્ષણ બીજી બાજુ રાજ્યનું રક્ષણ. તરત જ તેણે એક કાગળમાં લખાણ તૈયાર કર્યું. તેમાં લખ્યું કે હે રાજન્ ! તમે અહીં આવ્યા છો તેમાં કોઈ વાંધો નથી... તેમજ સાળી બનેવીને પરણે એમાં પણ કાંઈ નવાઈ નથી. હું તો તમારી પાસે આવવા તૈયાર જ છું. પરંતુ આ રાજ્યનું શું? મારો પુત્ર પાંચ વર્ષનો છે તેથી રાજ્ય કોઈ પડાવી ન લે તે માટે તમારે મારા રાજ્યને ફરતો કિલ્લો બાંધી આપવો જોઈએ. વળી કિલ્લો બાંધવા માટેની પાકી ઈટો અહીં બનતી નથી. તે ઉજ્જયનીમાં બને છે તેથી ત્યાંથી ઈટો લાવીને કિલ્લો બાંધી આપો.. પછી હું આવવા તૈયાર છું. આવો બનાવટી કાગળ લખીને ચંડપ્રદ્યોત પર મૃગાવતીએ મોકલ્યો. કાગળ વાંચીને રાજા તો ખુશ-ખુશ થઈ ગયો. ઉજ્જયનીમાંથી ઈટો કયારે આવે ? એટલી ધીરજ તેનામાં નહોતી તેથી તેણે પોતાના આખા લશ્કરને કોસાંબીથી ઉજ્જયની સુધી ગોઠવી દીધું અને હાથોહાથ ઈટો ઉજ્જયનીમાંથી આવવા માંડી. થોડા જ સમયમાં મજબૂત એક કાંકરી પણ ન ખરે તેવો કિલ્લો તૈયાર થઈ ગયો. ચંડપ્રદ્યોતે કહેવડાવ્યું કે કિલ્લો તૈયાર થઈ ગયો છે તમે આવી જાવ... મૃગાવતીએ વળતો જવાબ આપ્યો કે કિલ્લો તો તૈયાર થઈ ગયો પણ કોઈ રાજા અચાનક ચડી આવે અને કિલ્લાને ઘેરો ઘાલે તો પ્રજાને ખાવા માટે અન્ન વગેરે તો જોઈએ ને! માટે મારા કોઠારો ભરી દો પછી આવું... રાજા તો સ્ત્રીની આસક્તિમાં ભાન ભૂલ્યો હતો. તરત જ તેણે બધા કોઠારો ભરી દીધા. પછી કહે કે હવે આવી જાઓ. મૃગાવતી કહે છે પણ શસ્ત્રો ન હોય તો પ્રજાનું રક્ષણ કેવી રીતે કરે ? માટે સારામાં સારાં શસ્ત્રો તો મોકલાવો પછી આવું. સ્ત્રીના મોહમાં ફસાયેલ રાજાએ પોતાની પાસે રહેલા 6
સારામાં સારાં ઉંચી જાતનાં તમામ શસ્ત્રો મૃગાવતીને મોકલાવી દીધાં. રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org