________________
७०
બે દિવસ, ત્રણ દિવસ રોજ રાહ જુએ પણ ન આવ્યા... છેવટે પર્યુષણનો છેલ્લો દિવસ આવ્યો. આજે તો બારસાસૂત્ર સાંભળવા તો આવશે જ. તો પણ ન આવ્યા. સાંજ પડવા આવી... સંવત્સરીનું પ્રતિક્રમણ તો ક૨વા આવે જ ને ! ગુરૂ મહારાજ રાહ જોઈને થાકયા. શ્રાવકો પ્રતિક્રમણ કરવા આવી ગયા છે.. કલ્યાણમલ્લ હજુ ન આવ્યા. ગુરૂ મહારાજે વિચાર્યું કે ખમાવ્યા વિનાનું મારું પ્રતિક્રમણ શુદ્ધ કહેવાય નહીં... કંઈ નહીં ભલે તે ન આવ્યા. પણ હું તેમના ઘેર જઈને ખમાવી આવું. ભૂલ મારી છે. શ્રાવકો બધા ભેગા થઈને બેઠા છે. ગુરૂ મહારાજ શિષ્યને સાથે લઈને કલ્યાણમલ્લના ઘર તરફ નીકળ્યા. કલ્યાણમલ્લે દૂરથી ગુરૂ મહારાજને આવતા જોયા. ઘરના માણસોને આદેશ કર્યો કે ડેલીના બારણાં બંધ કરી દો અને પોતે મેડા ઉપર ચડી ગયા. ગુરૂ મહારાજ બારણાં નજીક આવ્યાં. બારણું ખખડાવ્યું. પણ ખોલવાની મના કરેલી છે. ઘરના ધણું વિનવે છે કે આવા ગુરૂ મહારાજ સામે ચડીને આંગણે આવ્યા છે અને ખોલવા દો. પણ ના.. ગુરૂ મહારાજે ઘણીવાર બારણું ખખડાવ્યું પણ ન જ ખોલ્યું. છેવટે થાકીને ગુરૂ મહારાજ મોટેથી બોલ્યા કે કલ્યાણમલ્લ મારે ને તમારે મિચ્છામિ દુક્કડમ્. હું તને ખમાવુ છું. આમ કહીને ગુરૂમહારાજ તો ચાલતા થયા... પણ ગુરૂ મહારાજની શીતળ જેવી વાણીથી કલ્યાણમલ્લનો ક્રોધાગ્નિ કંઈક શાંત થયો. મેડા પરથી નીચે ઉતર્યા. પરિવારને લઈને ઉપાશ્રયે આવ્યા. પ્રતિક્રમણ કરવા બેઠા. પ્રતિક્રમણમાં જ્યાં સર્વજીવરાશિને ખમાવવાની ક્રિયા આવે છે ત્યાં કલ્યાણમલ્લ એકદમ ઉભા થયા. ગુરૂ મહારાજના પગમાં પડયા... માફી માંગી... એટલું જ નહીં પણ ૨૫૨૫ વર્ષથી જેની સાથે વૈર બંધાયેલું હતું તે સહસ્રમલ્લની પાસે ગયા તેમના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા... વૈરનો અગ્નિ સમાપ્ત થઈ ગયો... બન્ને વચ્ચે મિત્રતાનું મંડળ રચાઈ ગયું. કેવી અજબની તાકાત છે આ ખામણામાં...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org