SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ - કેટલાક ઈર્ષાળુ માણસોના મનમાં શંકા જાગી કે કાલનો ભિખારી આ {, દેદો આજે શેઠ બની ગયો, નક્કી કંઈ નિધાન પ્રાપ્ત થયું લાગે છે. આવા માણસોએ રાજાને કાન ભંભેરણી કરી. રાજાએ મેદાને બોલાવ્યો, પૂછયું. દેદાએ કહ્યું કે મારી પાસે કાંઈ નથી. હું કમાઉં છું ને ખરચું છું.. કોઈને છેતરતો નથી. કોઈને લૂંટતો નથી.. નિધાન પણ નીકળ્યું નથી... છતાં રાજા માનવા તૈયાર થતો નથી. તેને નજર કેદ કર્યો. આ બાજુ દેદાની પત્ની વિમલશ્રીએ જમવાનો સમય થયો છતાં દેદાશા પાછા ન ફર્યા એટલે નોકરને બોલાવવા મોકલ્યો. નોકરે આવીને મોટેથી wયું કે જમવા પધારો. દેદાશાએ સમયસૂચકતા વાપરીને કહ્યું કે જાઓ, તમે નાસ્તો કરી લેજો મારે જમવું નથી. નોકરે આવીને શેઠાણીને કહ્યું. વિમલશ્રી સમજી ગયા કે કાંઈક રંધાઈ રહ્યું છે. તેમણે ઘરમાં બીજું તો કાંઈ વધારે હતું નહીં. પણ જે કાંઈ હતું તે લઈને તરત જ ભાગી છૂટયા. નિમાડ દેશની સરહદે આવી પહોંચ્યા. પતિની ચિંતા કરે છે. શ્રીસ્તંભન પાર્શ્વનાથનો મહિમા : એ વખતે શ્રીસ્તંભન પાર્શ્વનાથનો ખૂબ જ મહિમા. આ બાજુ દેદાશા પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરીને બધું તેમના ચરણે સોંપીને સૂતા છે. "आशा छोड के बैठ निराशा, फिर देख मेरे साहेबका तमाशा." બધું જ છોડીને જ્યારે ભગવાનના શરણે જઈએ છીએ ત્યારે તે અવશ્ય મદદ કરે જ છે. રાત્રે એકાએક કોઈ ઘોડેસ્વાર ત્યાં આવ્યો. ચારે બાજુ તેજ પથરાયેલું છે. દેદાશાને જગાડ્યા અને ઘોડા પર બેસાડીને શેઠાણીની પાસે મૂકીને અદૃશ્ય થઈ ગયો. પત્નીએ પૂછયું કે અહીં કેવી રીતે આવ્યા? ત્યારે તેમણે શ્રીસ્તંભન પાર્શ્વનાથની કૃપાથી હું અહીં આવ્યો એમ કહીને બધો વૃત્તાંત કહ્યો. મનમાં માનતા રાખેલી કે ભગવાન જો હું આમાંથી છૂટીશ તે તો સોનાની આંગી રચાવીશ. જે ગામમાં તે બને મળ્યા તે ગામ વિદ્યાપુર 6 જ હતું. ત્યાં વસવાટ કર્યો. સ્તંભન પાર્શ્વનાથને સોનાની આંગી બનાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy