SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ છે. એ મૂર્તિમાં આવી અલૌકિક શક્તિ ક્યાંથી આવી ? તેની પાછળ રહેલી આવી અનેક શુભ ભાવનાઓમાંથી જ ને !. શ્રાવણ વદ ૦ા પર્યુષણા તૃતીયદિન.. દેદાશા : સાધર્મિકવાત્સલ્યના પ્રભાવે તો આજે હજારો માણસો સંયમ પંથે વિચરે છે તેમને કોઈ ચિંતા છે ખરી ? તમે એક દિવસની યાત્રાએ નીકળો તો ભાથાના ડબ્બાની કેટલી તૈયારી કરાવો. જ્યારે આખી જીંદગી માટે નીકળી પડેલા અમારે કાલની ચિંતા ખરી ? ના, કેમ ? સંધે સાધર્મિકના નાતે અમારી તમામ જવાબદારી સ્વીકારી લીધી છે. આપણા પૂર્વજોએ આપણા માટે કેવા-કેવા. ભોગો આપ્યા છે. નિમાડ નામનો દેશ છે ત્યાં નાંદુરી નામની નગરી છે. દેદ નામનો એક વણિક ત્યાં રહે છે પણ ગરીબાઈનું ધર છે. તે દેદ વણિક વ્યાજે ધન લઈને પાછું આપવાની શક્તિ નહીં હોવાથી લેણદારોના ભયથી જંગલમાં નાસી ગયો. જંગલમાં નાગાર્જુન નામનો એક યોગી હતો. તે યોગી પાસે દેદ પહોંચી ગયો. મૂક ભાવે તે યોગીની સેવા કરવા લાગ્યો. લેણદારોના ભયથી નગરીમાં ગયો નહીં તેથી ભોજન કર્યા વિના જ તેણે ત્રણ દિવસ પસાર કર્યા. તેની આવી પ્રશસ્ત સેવા જોઈને યોગી પ્રસન્ન થયા. દેદની તો એક જ વાત કે કાં તો બહોત દે ને કાં તો મોત દે. પોતાની આખી કથની કહી. યોગી કહે પહેલાં તું જમી લે. વિદ્યાના બળથી આકાશમાંથી થાળી આવી. જમ્યા પછી કૃપાને યોગ્ય જાણીને યોગીએ તેને સુવર્ણસિદ્ધિ આપી અને કહ્યું કે લોકોના કલ્યાણમાટે તું એનો ઉપયોગ કરજે. કયાંય લોભમાં ડૂબી ન જતો. કારણ કે વણિક જાતિ હમેશાં લોભી હોય છે. સુવર્ણસિદ્ધિ લઈને દેદ ઘેર આવ્યો. સોનું બનાવવા લાગ્યો. રોજ સવા શેર સોનાનું દાન કરે છે. આખા ગામમાં દેદાશેઠ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy