________________
૫૧
તપસ્યાઓ થવા માંડી.... કોઈ બે મહિનાના-કોઈ ચાર મહિનાના, કોઈ છ મહિનાના ઉપવાસ-આંબિલ... વગેરે તપ-જપ થવા માંડયા. મૂર્તિ તૈયાર થવા માંડી. અનેક શુભભાવનાઓ તથા ચારે બાજુના શુભપરમાણુઓની સાથે મૂર્તિ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ. વિદ્વાનોને બોલાવવામાં આવ્યા. પ્રતિષ્ઠાનું મુહુર્ત જોવાયું. સં. ૧૫૮૭ વૈશાખ વદ-૬ રવિવાર શ્રવણ નક્ષત્ર નક્કી થયું. ચારે બાજુ કંકોત્રીઓ મોકલાવવામાં આવી. ૧૦૦ વર્ષે પ્રતિષ્ઠા થતી હોય... કોને આનંદ ન હોય... લાખો માણસો ઉમટયા છે. મન મૂકીને બધા નાચી રહ્યા છે. વૈશાખવદ-૬ના દિવસે શુભમુહુતૅ બધા ઉપર ભેગા થયા. પ્રતિષ્ઠાનો વિધિ ચાલી રહ્યો છે. ચારે બાજુ દિવ્ય ધ્વનિદિવ્ય વાતાવરણ ઉભું થયેલું છે. હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવા જાય છે ત્યારે આ મૂર્તિએ સાત વાર શ્વાસોશ્વાસ લીધા હતા. મૂર્તિ જીવંત બની ગઈ. લોકોએ હર્ષોલ્લાસમાં આવીને એટલું સોનું ઉછાળ્યું કે આખો ડુંગર ખડકાઈ જાય. ખૂબ ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા થઈ. જ્યારે દાદાની પલાંઠીમાં નીચે નામ લખવાનું આવ્યું ત્યારે શ્રી વિદ્યામંડનસૂરિ મહારાજે પોતાનું નામ લખવાની સ્પષ્ટ ના પાડી દીધી. દાદાની પલાંઠીમાં નામ આવતું હોય તો કોણ જતું કરે ? પણ આ તો નિઃસ્પૃહી, તપસ્વી-ત્યાગી મહાત્માઓ હતા. એટલું જ લખાવ્યું કે સૂરિમિઃ પ્રતિષ્ઠિતમ્ । આચાર્યો વડે પ્રતિષ્ઠિત કરાયા. આવા ત્યાગી મહાત્માઓના તપ-જપ અને પ્રાણ આ મૂર્તિમાં રેડાયા છે. આજે પણ એનો જયજયકાર વર્તી રહ્યો છે. પૂજાની ઢાળમાં આવે છે ને પંદરસો સત્યાશી એ રે, સોળમો એ ઉદ્ધાર, કર્માશાએ કરાવીએ રે, વર્તે છે જય જય કાર હો જિનજી ભક્તિ હૃદયમાં ધારજો રે... જેમણે પ્રતિષ્ઠા કરી તેમના આજ્ઞાવર્તી શિષ્ય વિવેકીરવિજયજી મહારાજે વૈશાખવદ સાતમના જ ‘શત્રુંજ્યનો ઉદ્ધાર' એ નામનો ગ્રંથ લખેલો, તેમાં આ બધો ઉલ્લેખ છે, અને તેની ટિપ્પણીમાં છે કે ભગવાને સાતવાર શ્વાસોશ્વાસ લીધેલા... પ્રતિષ્ઠા કરાવનાર કર્માશાના વંશજો આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org