________________
- હતી તે બધાને પોતાની પાસે બોલાવીને યથાયોગ્ય સત્કાર કર્યો. પોતાના
પર નિઃસ્વાર્થ ઉપકાર કરનાર કર્માશાને બોલાવવા માટે ફરમાન મોકલ્યું. કર્માશા પણ યોગ્ય ભેંટણું લઈને આવી પહોંચ્યા. બાદશાહ કમશાને જોતાં જ ઉઠીને સામે ગયો અને પ્રેમથી ભેટી પડ્યો. સભામંડપમાં કર્માશાની નિષ્કારણ પરોપકારિતાની ખૂબ પ્રશંસા કરી. બાદશાહે કર્માશાને રહેવા માટે એક સુંદર શાહીમહેલ આપ્યો. થોડા દિવસ કર્માશા ત્યાં રોકાયા. એકવાર બાદશાહે ખુશમિજાજમાં આવીને કહ્યું કે બોલો મિત્રવર ! હું તમારું શું ઈષ્ટ કરું? મારા દિલને ખુશ કરવા માટે મારા રાજ્યનો કોઈ પણ દેશ સ્વીકારો. કર્માશાએ કહ્યું કે આપની કૃપાથી મારી પાસે બધું જ છે. મારે કોઈ વસ્તુની જરૂર નથી. ફકત આપની પાસેથી એક અનુમતિ જોઈએ છે. મારે શત્રુંજય તીર્થ પર મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવી છે. આ વાત મેં પહેલા પણ આપને જણાવી હતી. આ સાંભળીને બાદશાહે કહ્યું કે કર્માશા ! તમારી જે ઈચ્છા હોય તે નિઃશંક પૂરી કરો. હું તમને ફરમાન લખી આપું છું. ફરમાન લખાવ્યું. ફરમાન મળતાંની સાથે જ મનમયૂર નાચી ઉઠયો.. ફરમાન લઈને નીકળ્યા. ખંભાત આવ્યા.. ખંભાતના અંધે ભવ્ય સામૈયું કર્યું. આખો સંઘ જે કામ ન કરી શક્યો તે મેવાડના એક વાણિયાએ કર્યું. ઉપાશ્રયમાં ગુરૂમહારાજ બિરાજમાન હતા. ગુરૂ મહારાજે આદેશ કર્યો કે હવે કામ વિનાવિલંબે શરૂ કરો. હુ તરત જ વિહાર કરીને પાલિતાણા પહોંચું છું અને તમે પણ આવો. કર્માશા પણ સંઘ-પરિવાર સાથે પાલિતાણા આવ્યા. ગામોગામ કર્માશાના સામૈયા થયા. હવે મૂર્તિ શેમાંથી બનાવવી તે પ્રશ્ન ઉભો થયો. ત્યાં કોઈકે કહ્યું કે વસ્તુપાળના લાવેલા પાષાણો પડ્યા છે પણ કયાં છે તેની કોઈને ખબર નથી.. પૂછતાછ કરતાંકરતાં સમરો નામના પૂજારીએ કહ્યું કે અમુક જગ્યાએ ભોંયરામાં છે.
પાષાણ કઢાવ્યા.. ચારે બાજુ આનંદ-આનંદ જ છે. આદપુરમાં છાવણી & ( નાખી. બધા સાધુઓ ગોઠવાઈ ગયા. કોઈ તપમાં કોઈ જપમાં ચારે બાજુ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org