________________
૪૯
ભગવંતે એક ચિંતામણી મંત્ર આપ્યો. કર્માશા જાપ કરવા લાગ્યા. કાપડનો મોટો વહેપાર ધમધોકાર ચાલે છે, કમાણી ખૂબ થવા લાગી.
ગુજરાતની રાજધાની ચાંપાનેર હતી. મહમ્મદ બેગડો રાજ્ય કરતો હતો. તેણે જૂનાગઢ અને પાવાગઢ એ બે ગઢ જીત્યા હતા માટે તે બેગડો કહેવાતો. મહમ્મદ બેગડાના મૃત્યુ પછી મુજફરબાદશાહ ગાદીએ આવ્યો. તેના નાના ભાઈ બહાદૂરખાન ને યોગ્ય જાગીરી ન મળવાથી રિસાઈને તે ચાલ્યો ગયો. જુદા-જુદા ગામોમાં ફરતો ફરતો તે ચિત્તોડમાં આવી પહોંચ્યો. ચિત્તોડમાં કર્માશાનો કાપડનો મોટો વહેપાર ચાલે છે. બહાદુરખાને કર્માશાની દુકાનથી ઘણું કાપડ ખરીદ્યું. આમ બન્ને બચ્ચે મૈત્રીની શરૂઆત થઈ. એકવાર ગોત્રદેવીએ સ્વપ્રમાં આવીને કર્માશાને કહ્યું કે આ બહાદુરખાનથી તારી કાર્ય સિધ્ધિ થશે. આ સાંભળીને કર્મશાએ શાહજાદાની વધારે સાર-સંભાળ લેવા માંડી. શાહજાદાની પાસે ખર્ચી ખૂટી ગઈ. કર્માશાએ ૧ લાખ રૂપિયા કોઈપણ શરત વિના મફત આપ્યા. શાહજાદો તો ખૂબ જ આનંદીત થયો. તેણે કહ્યું કે હે મિત્ર ! જીવનપર્યંત તારો ઉપકાર હું નહીં ભૂલું. કર્માશા કહે કે એવું ન બોલો... આપ તો અમારા માલિક છો. ફકત એક અરજ છે કે જ્યારે આપને રાજ્ય મળે ત્યારે મારી એક ઉત્કૃષ્ટ ઈચ્છા છે તે પૂરી કરજો... શાહજાદાએ વચન આપ્યું. પછી ત્યાંથી તે પાછો ગુજરાત તરફ આવવા નીકળ્યો. ૧૯મો ઉધ્ધાર... કર્મશાનો... :
આ બાજુ ગુજરાતમાં મુજફરબાદશાહનું મૃત્યું થયું. તેની ગાદીએ તેનો પુત્ર સિકન્દર આવ્યો. તે ઘણો નીતિમાનૢ હતો. પણ દુર્જનોએ થોડા જ દિવસોમાં તેને મારી નાખ્યો. આ સમાચાર બહાદુરખાનને મળ્યા. તે શીઘ્રતાથી ગુજરાત પહોંચ્યો અને ચાંપાનેર આવ્યો. સં. ૧૫૮૩માં તેનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાની સાહસિકતાથી-બુદ્ધિપ્રતિભાથી અનેક રાજાઓને પરાસ્ત કર્યા. પૂર્વાવસ્થામાં જે-જે માણસોએ તેને સહાય કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org