________________
પર
પણ ચિત્તોડ-ઉદેપુર વગેરેમાં છે. વસ્તુપાળે સાધર્મિક બંધુઓ માટે જે મહેનત કરેલી તેમાંથી બનેલા આ દાદા અત્યારે લાખો લોકોને ખેંચી રહેલા છે.. આ કળિયુગમાં પણ આ દાદા હાજરાહજૂર છે. થોડા વર્ષો પહેલાં જ થયેલો
ચમત્કાર...
નજરે નીહાળેલો અભિષેક ને ચમત્કાર ઃ
સંવત ૨૦૪૩ અષાડ સુદ એકમનો એ દિવસ હતો... અમારૂં તથા પ્રદ્યુમ્નવિજયજી મ.સા.નું ચોમાસું પાલીતાણા નક્કી થયેલું. અમે બધા પણ સાથે હતા. ત્રણ વરસથી ભયંકર દુકાળ પડેલો... આ વર્ષે પણ વાયરા એવા વાતા હતા કે જાણે રાક્ષસો અટ્ટહાસ કરી રહ્યા હોય... ! જાણે અનેક મડદાઓ પડવાનાં ન હોય ! ગરમી ભયંકર ! ગિરિરાજ પર ચઢતાં રસ્તામાં જે કુંડો આવે તે કુંડો બધા ખાલી ખમ.. ! અરે ઉપર પૂજા કરવા માટે ન્હાવું હોય તો પણ પાણી ન મળે એવી પરિસ્થિતિ સર્જાણી. ત્યાં અચાનક અમને વિચાર સ્ફૂર્યો કે દાદાના અઢાર અભિષેક કરાવીએ. ઘણા વર્ષો થઈ ગયા છે. કોઈ આશાતનાઓ થઈ હોય તો દૂર થાય. ગિરિરાજ ઉપર શ્રેણિકભાઈની પરવાનગી વિના તો કાંઈ થાય નહીં. તેથી શ્રેણિકભાઈને ફોન દ્વારા જણાવ્યું. શ્રેણિકભાઈ કહે કે સાહેબ હમણાં નહીં ચોમાસામાં રાખજો. અત્યારે તો યાત્રાળુઓને મુશ્કેલી પડે. પણ ચોમાસામાં અમે ઉ૫૨ કેવી રીતે ચડીએ... અત્યારે જ કરવાની પરવાનગી આપો. અમારા કહેવાથી શ્રેણિકભાઈએ આણંદજી કલ્યાણજીની પેઢી પર ફોન કરીને કહી દીધું કે મહારાજ સાહેબ જે કહે તેમ કરવા દેજો. પરવાનગી મળી ગઈ. તરત જ ચંદુભાઈ ઘેટીવાળા અને રજનીભાઈ દેવડીને બોલાવ્યા. ચંદુભાઈ પ્લેનમાં આવ્યા. અભિષેક ધામધૂમથી કરવા હતા. સમય થોડો હતો. બધી જ ઔષધિઓ મંગાવી. અમુક તીર્થોના પાણી તો પ્લેન દ્વારા મંગાવ્યા. બધું પાલીતાણામાં લાવીને કેશરિયાજીના ઉપાશ્રયમાં ભેગું કર્યું. ઔષધિઓને ખાંડવા માટે ૪૦ તો બાઈઓ રાખી. ચારેબાજુ ઔષધિઓની સુગંધ ફેલાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org