________________
૪૨
આ પધાર્યા. બન્ને ભાઈઓ ગુરૂમહારાજને વંદન કરવા આવ્યા. સંસારની જ
ક્ષણિકતાને સમજાવતી દેશના સાંભળીને કંઈક શોકમુક્ત બન્યા. ગુરૂમહારાજે આદેશ કર્યો કે તીર્થયાત્રાએ નીકળો જેથી મન હળવું બની જશે. તીર્થયાત્રાએ નીકળે છે. બધી સંપત્તિ સાથે લઈને જ નીકળે છે. તે સમયે ગામોગામ સરહદો બદલાતી રહેતી. લૂંટારાનો ભય ખૂબ રહેતો. આટલું બધું જોખમ લઈને ફરવું તેમને યોગ્ય લાગ્યું નહીં તેથી હડાળા ગામ પાસે સંપત્તિને જમીનમાં દાટીને આગળ વધવાનું વિચાર્યું. એ સમયમાં બેંક વગેરે કોઈ સાધનો નહોતા. તેથી સંપત્તિ જમીનમાં જ દાટતા. અમુક નિશાનીઓ રાખે.
જ્યારે જરૂર પડે ત્યારે ત્યાંથી લઈ આવે. ખાડો ખોદે છે પણ ત્યાં તો પુન્યશાળીને પગલે પગલે નિધાન' એ કહેવત અનુસાર બીજું નિધાન નીકળી પડ્યું. હવે શું કરવું? વસ્તુપાળના પત્નીનું નામ લલીતાદેવી હતું. તેજપાળની પત્નીનું નામ અનુપમા હતું. તે ખૂબ હોંશિયાર અને ચાલાક હતી. નામ એવા જ ગુણો હતા. પણ રંગે શ્યામ હતાં. જ્યારે તેજપાળની સગાઈ થઈ ત્યારે કોઈને આવીને તેજપાળને કહ્યું કે તારી પત્ની તો કાળીકાળી કલાડા જેવી છે. તે જમાનામાં કાંઈ એકબીજાને જોવામાં આવતાં નહોતાં... ત્યારે તો માતા-પિતા કરે તે જ સાચું. તેમની સામે કંઈ પણ બોલાય જ નહીં. આજે જમાનો પલટાઈ ગયો છે જાતે જ તપાસ કરે છે માટે તો આજના જીવન ઝરમય બનતાં હોય છે. તેજપાળે વિચાર્યું કે માને તો કાંઈ કહેવાય નહીં તો શું કરવું? તેમણે ક્ષેત્રપાળ દેવતાની માનતા રાખી. સગાઈ તૂટી જશે તો હું અમુક દ્રવ્ય ખર્ચીશ. નિર્માણ થયેલા ભાવિને કોઈ અન્યથા કરી શકતું નથી. માનતા ફોક ગઈ. લગ્ન કરવું જ પડ્યું. લગ્ન પછી તેમના ગુણોની સુવાસ આખા કુટુંબમાં ફેલાઈ ગઈ.
ખુદ વસ્તુપાળ જેઠ થતા હોવા છતાં અનુપમાની સલાહ લેવા આવતા. છે. અહીં પણ નિધાન નીકળતાં જ અનુપમા પાસે સલાહ લેવા આવ્યા. જ K અનુપમા કહે છે તમારે ઉંચે જવું છે કે નીચે જવું છે? ઉંચે જવું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org