________________
લાખ રૂપિયા ખર્ચેલા. આજે પણ સેંકડો વર્ષો પછી એ દહેરાસર અડીખમ ઉભું છે. સેંકડો સાધર્મિકો એના આલંબને તરી રહ્યા છે. એના મૂળ પાયામાં સાધર્મિક તરફનો શુદ્ધ પ્રેમ ભરેલો છે. દહેરાસર બાહડ મંત્રીનું છે પણ પ્રતિમાજી વસ્તુપાળ-તેજપાળના છે. તે કેવી રીતે ?
વસ્તુપાળ-તેજપાળ :
-
૪૧
વસ્તુપાળ અને તેજપાળ પાટણના વતની હતા. તેમના માતાનું નામ કુમારદેવી અને પિતાનું નામ આશરાજ હતું. આશરાજ પોતે મંત્રી હતા. તેમના ગુરૂ હરિભદ્રસૂરિ મહારાજ હતા. (યાકિનીમહત્તરાસુનૂ નહીં.) આચાર્ય મહારાજે કુમારદેવીની ભાગ્યરેખા જોઈને આશરાજનો તેની સાથે વિવાહ ગોઠવી આપ્યો. એ જમાનામાં કુલગુરૂઓ આવા કામો કરી આપતા. આચાર્યભગવંતે જોયું કે કુમારદેવીનાં સંતાનો મહાભાગ્યશાળી તથા શાસનનાં રત્નો થશે. કાળક્રમે કુમારદેવીએ ચાર પુત્રોને જન્મ આપ્યો. તેમાં પ્રથમ પુત્ર મલ્લદેવ જે યશસ્વી પુરૂષોમાં અગ્રેસર તરીકે પ્રખ્યાત થયો. બીજો પુત્ર વસ્તુપાળ, ત્રીજો પુત્ર તેજપાલ, અને ચોથો પુત્ર લુણિગ. તે પછી સાત પુત્રીઓ થઈ. સં ૧૨૨૮ થી ૧૨૯૮ સુધીના સમયમાં આશરાજ મંત્રી કટોસણ પાસે સુંવાળા ગામમાં રહેતા હતા. સુંવાળા ગામમાં આશરાજનો સ્વર્ગવાસ થયો. બન્ને ભાઈ મા-બાપના પરમભક્ત હતા. પિતાના સ્વર્ગવાસથી ઘણો આઘાત લાગ્યો. ચારે બાજુ પિતાની સ્મૃતિઓ પથરાયેલી છે. તેથી ક્ષણવાર પણ પિતા વિસરાતા નથી... એટલી બધી વ્યથા વધી ગઈ કે તેમને લાગ્યું કે પિતાની સ્મૃતિઓ વચ્ચે અમે નહીં જીવી શકીએ. ક્ષણે-ક્ષણે એ યાદો બેચેન બનાવે છે તેથી માતાની સાથે માંડલ આવ્યા. માતાની પણ તે પરમેશ્વરની જેમ ભક્તિ કરતા... અનુક્રમે માતાનો પણ સ્વર્ગવાસ થયો. આધાતથી દિલ ભાંગી ગયું. શોકમગ્ન બની ગયા છે એવામાં માતૃપક્ષમાંથી મુનિ થયેલા શ્રી નરચંદ્ર મુનીશ્વર ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org