________________
૪૦
છે. મંત્રીશ્વર આપના પુત્રો આપની ઈચ્છા પૂરી કરશે... બસ આટલું સાંભળતા થી
જ તેમનું પ્રાણપંખેરું નશ્વર દેહને છોડીને ચાલી નીકળ્યું. પેલા ભાટે વિચાર કર્યો કે અહો ! આ વેષનું મુલ્યાંકન કેટલું છે ? મંત્રી જેવો મંત્રી મારા પગમાં પડયો. હવે આ વેષ ન ઉતારું. વેષ પર બહુમાન જાગ્યું. સાચી દીક્ષા સ્વીકારી અને સદ્ગતિને પામ્યો. સૈનિકોએ આવીને બાહડમંત્રીને પિતાની આખરી ઈચ્છા જણાવી. બાપ કરતાં બેટા સવાયા હતા. તેણે તરત જ અભિગ્રહ કર્યો કે પિતાની ઈચ્છા જ્યાં સુધી પાર ન પડે ત્યાં સુધી ભૂમિશયન કરવું, એકાસણ કરવું અને બ્રહ્મચર્ય પાળવું. જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું. દહેરાસર તૈયાર થઈ ગયું. પણ અચાનક થોડા દિવસોમાં સમાચાર મળ્યા કે દહેરાસરમાં મોટી તિરાડો પડી ગઈ... સમાચાર આપનારને સોનાની જીભ ઈનામમાં આપી. કોઈએ કહ્યું કે મંત્રીશ્વર આમ કેમ ? આવા માઠા સમાચાર આપનારને આટલું મોટું ઈનામ ? મંત્રીશ્વરે કહ્યું કે મારા જીવતાં મને આ સમાચાર મળ્યા તેથી હું ફરી બાંધીશ, મારા મરી ગયા પછી કાંઈ થયું હોત તો ! મંત્રીશ્વર જાતે આવ્યા. બધી તપાસ કરી. શિલ્પીઓએ કહ્યું કે ભમતીમાં પવન ભરાવાથી આમ થયું છે. ભમતીને પૂરી દો. ભમતી વિનાનું બનાવો... શિલ્પીઓએ કહ્યું કે મંત્રીશ્વર જો ભમતી વિનાનું દહેરાસર બનાવવામાં આવે તો આપનો વંશવેલો રહેશે નહીં, ભલે ન રહે. વંશવેલાથી મારો ઉદ્ધાર નહીં થાય. દહેરાસરથી મારો ઉદ્ધાર થશે. વંશવેલામાં કોઈ કુપુત્ર આવી ગયો તો મારી એકોતેર પેઢીને ડૂબાડી દે... જ્યારે આ પરમાત્માના દર્શનથી મારી એકોતેર પેઢી તરી જશે. ભમતી પૂરી દીધી. આજે પણ જુઓ, દાદાના દહેરાસરનો બહારનો ભાગ કેટલો પહોળો દેખાય છે અને અંદર ગભારો નાનો લાગે છે. મંદિર
સુંદર તૈયાર થઈ ગયું. સં. ૧૨૧૩માં પૂ. કલિકાલસર્વજ્ઞહેમચંદ્રસૂરિ ને મહારાજના હાથે મોટા મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થઈ. આમ શત્રુંજય તીર્થનો ( ત્ ૧૪મો ઉદ્ધાર બાહડમંત્રીએ કરાવ્યો. તે સમયે બાહડે એક કરોડને સાઠ 8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org