________________
- કુમારપાળનું નામ લખીને બતાવે છે કે કુમારપાળ તો તાડપત્રમાં છે. આ {, રીતે કુમારપાળને બચાવી લે છે અને સિદ્ધરાજના જ મહામંત્રી ઉદયનને સોંપે છે. પોતાના રાજાના દ્રોહીને ઘરમાં સંઘરવો કેટલું કપરું છે. સિદ્ધરાજને ખબર પડે તો તેમનું આવી જ બને ને ! છતાં પણ આચાર્ય ભગવંતના આદેશથી તેને સાચવે છે. આમ રખડતા-રખડતા કુમારપાળ મહારાજા ૫૦ વર્ષની ઉંમરે ગાદીએ આવે છે. એક રખડું માણસ ગાદી પર આવ્યો છે એમ સમજીને બીજા રાજાઓ તેની સામે માથુ ઉંચકવા લાગ્યા. તેથી તે બધાને તાબે કરવામાં ૧૬ વર્ષ તેમના ચાલ્યા ગયા. આ બધા કામમાં તેઓ પોતાના મતાઉપકારી આચાર્ય મહારાજને ભૂલી ગયા. આચાર્ય મહારાજ પાટણમાં પધાર્યા છે. તેમણે મંત્રીને પૂછયું કે કુમારપાળ મને યાદ કરે છે કે નહિં? મંત્રી કહે ના સાહેબ, કયારેય યાદ કરતા નથી. બીજા દિવસે આચાર્ય મહારાજે મંત્રી દ્વારા કુમારપાળને કહેવરાવ્યું કે આજે તું જે રાણીના મહેલે સુવા જવાનો છે ત્યાં ન જઈશ. કુમારપાળે વિચાર્યું કે આ મહાપુરુષે કહ્યું છે માટે તેમાં કંઈક રહસ્ય જરૂર હશે. તે સુવા ગયા નહીં. તે જ રાત્રે તે મહેલ પર વીજળી પડી. રાણી વગેરે બળીને સ્વાહા થઈ ગયા. કુમારપાળે વિચાર્યું કે અહો આ મહાપુરૂષે મને જીવતદાન આપ્યું. સંત તરફ બહુમાન જાગ્યું અને તે આચાર્ય મહારાજના દર્શનાર્થે આવ્યા. ધીમે ધીમે બન્ને વચ્ચે પરિચય ગાઢ બન્યો. આચાર્ય ભગવાનના વચનામૃતના પાનથી તેમને પદાર્થોની વિનશ્વરતા સમજાઈ. આવા માણસો કર્મેશુરા અને ધર્મેશૂરા હોય છે. સાચી સમજણ આવ્યા પછી એવા હઠાગ્રહી બની જાય છે કે તેઓ પ્રાણાને પણ પોતાના નિયમોને છોડતા નથી. આચાર્ય ભગવંતે મર્યાદામાં રહીને તેમને ૧૨ વ્રતો લેવડાવ્યા. આવા ૧૮ દેશના માલિકને વ્રતો સ્વીકારવાં કેટલાં દુષ્કર છે. તમે દેશ નહીં, ગામ છે નહીં, શેરી નહીં પણ ફકત તમારા ઘરના રાજા છો છતાં એકપણ નિયમ & % કે વ્રત સ્વીકારી શકો છો ? અરે ગુટકા નહીં ખાવા, આટલો નાનકડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org