________________
TP લઈ જવો છે. હવે ઉદયનમંત્રી કહે છે કે આ સામે ત્રણ ઓરડા છે. ત્રણે છે,
ઓરડા રત્નો-હીરા-માણેકથી ભરેલા છે. આ ત્રણમાંથી તારે જે જોઈએ તે લઈ જા. ઉપરાંત મારા આ ત્રણ પુત્રો છે એ ત્રણ પુત્રોમાંથી પણ તારે જે પુત્ર જોઈએ તે લઈ જા. આ સાંભળતા ચાચિકને પોતાના પુત્રની મહત્તાનો ખ્યાલ આવ્યો. તે થોડો ઠંડો પડયો. મંત્રીને કહે છે કે હું મારા પુત્રને વેચવા માટે નથી આવ્યો. જાઓ હું રાજીખુશીથી રજા આપું છું. પછી ઉદયનમંત્રી જ તેમનો દીક્ષા મહોત્સવ કરે છે. પ્રબંધચિન્તામણિમાં બીજી પણ વાત આવે છે કે હેમચંદ્રસૂરિ મહારાજની દીક્ષા કર્ણાવતી (અમદાવાદ)માં થયેલી. સિદ્ધરાજના પિતા કર્ણરાજાએ કશ્વર મહાદેવનું મંદિર તથા કર્ણસાગર નામનું તળાવ બંધાવેલું અને તેના પરથી કર્ણાવતી નામની નગરી વસી. તેમાં પૂ. હેમચંદ્રસૂમ.ની દીક્ષા આ પ્રબંધચિંતામણિમાં છે. આપણને આ કલિકાલસર્વજ્ઞઆચાર્યભગવંતશ્રી હેમચંદ્રસૂરિ મહારાજની ભેટ મળી. એમના ગ્રંથોનું વાંચન કરીએ ત્યારે એમ થઈ જાય કે આ સાક્ષાત્ સરસ્વતી છે કે શું ?
આ આચાર્ય ભગવંત એકવાર ખંભાતમાં બિરાજમાન છે. ખંભાતમાં તેઓ ગ્રંથો લખવાનું કામ કરી રહ્યા છે. તાડપત્રો પર ગ્રંથો લખાવે છે. તે સમયે કુમાળપાળ મહારાજા સિદ્ધરાજથી ભાગતા ફરતા હતા. નાસીને તે ખંભાતમાં આવે છે, અને ઉપાશ્રયમાં આચાર્ય ભગવંત પાસે જાય છે. આચાર્ય મહારાજ વિચારે છે કે ભવિષ્યમાં આ રાજા થવાનો છે તેથી શાસનને ઘણો ઉપયોગી નીવડશે એમ સમજીને આશ્રય આપે છે. ત્યાં જ સિદ્ધરાજના માણસોને ગંધ આવી જાય છે કે કુમારપાળ ઉપાશ્રયમાં છે. તેથી તેઓ તરત જ આચાર્ય મહારાજ પાસે આવે છે. આચાર્ય મહારાજને ખબર પડતાં તેઓ કુમારપાળને ભોંયરામાં તાડપત્રોના ઢગલાની તે નીચે સંતાડી દે છે. માણસો આવીને આચાર્ય મહારાજને પૂછે છે. હું શું સમયસૂચકતા વાપરીને આચાર્ય મહારાજ એક તાડપત્રના ટુકડા પર કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org