SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તે દિવસ કલ્પસૂત્ર અને બીજા ત્રણ દિવસ શ્રાવકના કર્તવ્યો. આ આઠ , દિવસનો મહિમા જૈન સમાજમાં જબરો છે. ગમે તેવા સંજોગો હોય પણ આ આઠ દિવસ તો આબાલવૃદ્ધ આરાધના કરે જ. ત્રણ વર્ગ - શ્રાવકના ત્રણ વર્ગ છે. સદિયા, કદિયા, ભજિયા, હમેશાં આરાધના કરનારી વર્ગ સદિયા કહેવાતો. કદિયા એટલે કોઈક જ વાર તીથીએ કે પર્વના દહાડાઓમાં આરાધના કરે. પહેલાં તો તિથીઓનું મહત્ત્વ ખૂબ હતું પણ હવે આ વાર આવ્યા ત્યારથી તિથીઓનું મહત્વ ગયું. કંઈપણ કરવું હોય તો કહે કે રવિવાર રાખો. બીજા વારે કોઈની હાજરી જ ન મળે ને! ભદિયા એટલે ભાદરવામાં જ ઉપાશ્રયે આવનારા. ગમે તેવો નાસ્તિક હોય પણ સંવત્સરીનું પ્રતિક્રમણ તો કરે જ. પર્યુષણના આઠ દિવસમાં પણ મહાપુરુષોએ એવાં કર્તવ્યો બતાવ્યાં છે કે તેના દ્વારા બાર મહિનાનું ભાથું બાંધી લે. શ્રાવકના મુખ્ય પાંચ કર્તવ્યો છે. (૧) અમારિપ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય. (૩) પરસ્પર ખામણાં. (૪) અઠ્ઠમ તપની આરાધના. (૫) ચૈત્ય પરિપાટી. આ પાંચે કર્તવ્યોને બરાબર આરાધવા જોઈએ. પહેલાં ત્રણ કર્તવ્યોને તો રોજ આરાધવાં જોઈએ. હવે પહેલું કર્તવ્ય જોઈએ. અમારિ પ્રવર્તન - જુગલ જોડી આખા ગુજરાતમાં અને અઢાર દેશોમાં અમારિ પ્રવર્તાવનાર પૂ. હેમચંદ્રસૂરિ મહારાજ તથા કુમારપાળ મહારાજા છે. આ આચાર્ય ભગવંત આપણને સાધર્મિક વાત્સલ્યમાંથી મળ્યા છે. ધંધુકામાં ચાચિક નામનો મોઢવાણિયો રહેતો હતો. તેની પત્નીનું નામ પાહિની હતું. પાહિનીને એક છે રાત્રે સ્વમ આવ્યું. સ્વપ્રમાં તેણે જોયું કે મારી પાસે એક રત્ન આવ્યું અને ૨ Aી તે રત્ન મેં ગુરૂમહારાજને વહોરાવી દીધું. એ અરસામાં પૂ. દેવેન્દ્રસૂરિ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy