________________
૧૯
- પશ્ચાત્તાપ કરે છે. પછી આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા કરાવે છે. આમ ઔચિત્ય , * ન હોય તો ધર્મ ક્રિયાઓ સફળ થતી નથી. બહાર ધર્મ ગમે તેટલો કરતો હોય પણ ઘરના કે પરિવારના લોકો સીદાતા હોય તો તે દેખાવનો જ ધર્મ છે. સ્વચ્છ અને પવિત્ર જીવન એ ધર્મનું મૌલિક સ્વરૂપ છે. શત્રુ પણ કહે કે મારે તેની સાથે વિરોધ છે પણ માણસ સજ્જન છે. આવું જીવન હોવું જોઈએ. ધર્મને સારી રીતે આચરવાથી જેમ સારું ફળ મળે છે તેમ અયોગ્ય રીતે ધર્મ આચરવાથી તેનું માથું ફળ મળે છે.
શ્રાવણ વદ-૧૨ પર્યુષણા-પ્રથમદિન પર્વનો દરજ્જો...
આજે મહામંગલકારી પર્યુષણનો પ્રથમ દિવસ છે. તમારે ત્યાં દિવાળી આવે ત્યારે તમે ઘરને સાફ કરીને રંગ-રોગાન વગેરેથી શણગારો છો ને! તેમ આ મહાપર્વની પધરામણી થઈ છે તો તમારા મન રૂપી ઘરમાં બાઝેલા અનાદિકાળના રાગ-દ્વેષ રૂપી જાળાને સાફ કરજો. જ્ઞાનીઓ કહે છે કે પર્વની આરાધના સફળ ત્યારે જ બને કે જ્યારે વિશ્વના સમસ્ત જીવોની સાથે આપણે મૈત્રી બાંધીએ. આ પર્વનું મુખ્ય અંગ જ ક્ષમાપના છે. શાસ્ત્રકારોએ આ દિવસને પર્વ બનાવી દીધું જેથી આ દિવસોમાં ખમાવવા જતાં કોઈને નાનપ ન લાગે. જેમ બેસતાવર્ષે બધા સાલમુબારક કરવા નીકળે છે ત્યારે કોઈને એમ ન થાય કે આ માણસ આજે કેમ આવ્યો? કારણ કે તે પર્વના દિવસે બધા જ સાલમુબારક કરતા હોય છે. તેમ આ ક્ષમાપનાના પર્વને લીધે માણસને કોઈના ત્યાં જતાં શરમ ન આવે. લઘુતા
ન આવે. તે પર્યુષણ શબ્દાર્થ.. Kપર્યુષણ શબ્દ આમ તો છેલ્લા દિવસને માટે જ વપરાયો છે પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org