________________
- પોતાના ઘેર જમણ રાખ્યું. બધાને આમંત્રણ આપ્યું પણ કાકાને ત્યાં ન આપ્યું. છતાંયે કાકા સામે ચડીને જમવા ગયા. જમવા બેઠા ત્યાં ભત્રીજાએ આવીને કાકાનો તિરસ્કાર કર્યો. છતાં પણ જરાયે ગુસ્સો ન આવ્યો. છેવટે કાકાના પગમાં પડીને માફી માંગે છે. અને તેમની ખૂબ પ્રશંસા કરે છે. કષાયના ત્યાગથી ડોસાનું જીવન ધર્મમય બની ગયું. અને મરીને દેવલોકમાં ગયા. આમ જે વ્યક્તિ અક્રૂર હોય તે જ સાચા અર્થમાં ધર્મને આરાધી શકે છે. ધર્મ જેવું દુર્લભ રત્ન જે તે વ્યક્તિને મળી શકતું નથી. તેના માટે ઘણી યોગ્યતાઓ જોઈએ છે, તે હવે આગળ જો ઈશું.
શ્રાવણ વદ-૮ ગુણ પ્રધાન ધર્મ :
ધર્મના મુખ્ય બે વિભાગો છે એક ગુણકાંડ અને બીજો ક્રિયાકાંડ. ગુણકાંડમાં વિનય, વિવેક, સદાચાર, ક્ષમા, સજ્જનતા વગેરે આવે અને ક્રિયાકાંડમાં બધી ક્રિયાઓ આવે. ક્રિયાકાંડ એ ધર્મને પુષ્ટ કરવા માટે છે. પણ આજે આપણે એકલો ક્રિયાકાંડ જ પકડી રાખ્યો છે ગુણોની તો કલેઆમ થઈ ગઈ છે. ગુણહીન ધર્મ પ્રાણ વિનાના શબ જેવો છે. ધર્મને આચરનાર અક્રૂર હોવો જોઈએ અર્થાત્ ક્રોધ-અભિમાન-માયા વગેરેથી રહિત હોવો જોઈએ. ધર્મ કરતો હોય પણ મનમાં અહંકાર ભરેલો હોય તો ધર્મ તેને સ્પર્શી શકતો નથી... અને અહંકાર આવે ત્યાં કઠોરતા-તુચ્છતા આવે જ. કુન્તલરાણી :
એક રાજા હતો. તેને ઘણી રાણીઓ હતી. તેમાં કુન્તલદેવી કરીને પટરાણી હતી. રાજમહેલમાં જ એક જિનમંદિર હતું. કુન્તલદેવી રોજ તેમાં જે ઉંચામાં-ઉંચા દ્રવ્યોથી પ્રભુભક્તિ-પૂજા કરે. રાજા પણ તેને બધી સામગ્રી K પૂરી પાડે. રોજ-રોજ હીરા-માણેક મોતી વગેરેથી ભવ્ય અંગરચના કરે... )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org