SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Tો ધર્મ કરનાર શ્રાવક અક્રૂર હોવો જોઈએ. એટલે કે ફિલષ્ટભાવોથી રહિત છે, હોવો જોઈએ. કૂર પરિણામી આત્મા ધર્મને સાધી જ કેવી રીતે શકે ? કારણ કે ધર્મનો પાયો જ અહિંસા છે. પાયા વિના ઈમારત ટકી જ ન શકે ને? આજે ઘણા આત્માઓ એવા જોવામાં આવે છે કે તપ ખૂબ કરતા હોય પણ ક્રોધ એટલો બધો હોય કે બીજા માણસો એમ જ કહે કે આ તપ કહેવાય..? આનાં કરતાં તો અમે નથી કરતાં તે સારું છે આ રીતે તપની અનુમોદના કરીને પુણ્ય ઉપાર્જન કરવાને બદલે તેની નિંદા કરીને પાપના ભાગીદાર બને છે, ધર્મની નિંદા થાય છે. તપ તો કષાયોને જીતવા માટે છે એના બદલે ધર્મને નહીં સમજનારા જીવો કષાયને વધારે છે. કાકાની પરીક્ષા કરતો ભત્રીજો : એક ડોસો હતો... ધાર્મિક વૃત્તિવાળો હતો પણ સ્વભાવે ખૂબ જ ક્રોધી. ઘરમાં અને સંઘમાં બધા તેનાથી ફફડે.. કોઈ એમને વતાવે નહીં. ઘરમાં જમવા બેસે ત્યારે સ્મશાન જેવી શાંતિ છવાઈ જાય... આ ડોસો એક દિવસ પાલીતાણાની જાત્રાએ ગયો. દાદાના દર્શન કરીને નીચે આવ્યો ત્યાં કોઈ મહાત્મા મળ્યા. મહાત્માએ કહ્યું કે ભાઈ ! દાદાની જાત્રા કરી. પણ કોઈ નિયમ લીધો કે નહીં? ડોસાએ ના પાડી. ત્યાં બાજુમાં ઉભેલા કોઈ સ્વજને મહાત્માના કાનમાં કહ્યું કે સાહેબ તે સ્વભાવે ખૂબ જ ક્રોધી છે તેથી ક્રોધ ઓછો કરે તેવું કાંઈક કરો. મહાત્માએ સમજાવીને ક્રોધ નહીં કરવાની પ્રતિજ્ઞા કરાવી... જાત્રા કરીને ઘરે આવ્યા. બીજા દિવસે જમવા બેઠા છે ત્યાં નાની વહુના હાથે ઘીની વાઢી ઢોળાઈ ગઈ. વહુ તો ધ્રૂજવા લાગી. હમણાં સસરાજીનું બોઈલર ફાટશે.. પણ સસરા તો ચૂપચાપ જમીને ઉભા થઈ ગયા. ઘરના માણસો તો સ્તબ્ધ થઈ ગયા. સસરાજીનો બદલાયેલો સ્વભાવ જોઈને વહુઓ તેમની ખૂબ ભક્તિ કરવા લાગી. સંઘમાં પણ લોકો તેમની () પ્રશંસા કરવા લાગ્યા. એકવાર તેમના ભત્રીજાએ કાકાની પરીક્ષા કરી. તેણે , For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy