SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ - બીજી રાણીઓ તેની ભક્તિની ખૂબ અનુમોદના કરે... પણ આ પોતે જ મનમાં અહંકારને પોષે. ખૂબ ફૂલાય... અને અહંકાર આવવાથી તેને જીવનમાં કઠોરતા પણ આવી ગઈ તેથી બીજી રાણીઓની ઉપેક્ષા કરે... તિરસ્કાર કરે... છતાં રાણીઓને તેના તરફ પૂજ્યભાવ... પોતાની ભક્તિના વખાણ સાંભળીને તે મનમાં ખૂબ ફૂલાતી... સમય સમયનું કામ કર્યા કરે છે. અનુક્રમે તે રાણી મૃત્યુ પામે છે. હવે એક વખત કોઈ જ્ઞાની મહાત્મા રાજમહેલમાં પધારે છે. દેશનાને અન્ને રાણીઓ ગુરૂભગવંતને પૂછે છે કે ભગવંત ! અમારાં મોટાં બેન કાળ કરીને ક્યાં ઉત્પન્ન થયાં હશે ? જ્ઞાની મહાત્મા જ્ઞાન દ્વારા જાણીને કહે છે કે તમારી મોટી બેન આ જ રાજમહેલમાં કૂતરી તરીકે ઉત્પન્ન થઈ છે. આ સાંભળીને બધી રાણીઓ આશ્ચર્ય પામે છે. ગુરૂભગવંતને પૂછે છે કે ગુરૂદેવ એ તો ખૂબ ભક્તિ કરતાં હતાં, તેમ છતાંયે આવી દુર્ગતિ કેમ ? ગુરૂમહારાજ કહે છે કે બેનો! ધર્મ કરવો એ જુદી વસ્તુ છે અને ધર્મને આરાધવો એ જુદી વસ્તુ છે. આજે ચારેબાજુ ધર્મ ખૂબ વધી રહ્યો છે. પર્વોના દિવસોમાં તપશ્ચર્યાઓ પણ ખૂબ થાય છે પણ જ્યાં પર્યુષણ પૂરા થાય કે તપશ્ચર્યાઓ પૂરી, ચોમાસું એ પૂરું અને આરાધનાઓ એ પૂરી. અમારા ઉપાશ્રયો ખાલી ખમ... કહેવાય છે ને કે “કર્યા સંવત્સરીના પારણાં અને મૂક્યાં ઉપાશ્રયના બારણાં- આજે આવી પરિસ્થિતિ છે. માસક્ષમણ કર્યું હોય પણ પારણા પછી રાત્રિભોજન, કંદમૂળ વગેરે તમામ શરૂ. ધર્મ કયાંય નિશાનીરૂપે જીવનમાં જોવાયે ન મળે. પારણા પછી તો જાણે મહિનાનું સાટું વાળતો હોય તેમ માણસ ખાવા પર તૂટી પડે છે. આખો દિવસ ચક્કી ચાલુ.. ધર્મ જો સાચા અર્થમાં જીવનમાં પરિણામ પામે તો એક નવકારશીનું પચ્ચખાણ પણ અનંતા કર્મોને ભસ્મ કરનારું બને છે. તો કષાયસહિત ધર્મનું પરિણામ :આ રાણીએ ધર્મ કર્યો પણ સાથે અહંકારને એટલો જ પોપ્યો. તેથી તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy