________________
બહાર ભટકતી નજર અંદર માંડે તો દેખાયને.
સામાન્ય રીતે જગતના માણસો બે દિવસોને આનંદના દિવસો ગણતા " હોય છે કે એક લગ્નનો દિવસ અને બીજો દિવસ દિવાળીનો. લગ્નના દિવસે એ રાજા થઈને ફરે છે “વરરાજા કહેવાય છે ને ! પણ બીજા જ દિવસથી એ દાસ બની જાય છે. તથા દિવાળીના દિવસે નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના તમામ જીવો આનંદમાં મહાલતા હોય છે... જ્યારે સ્વામી રામતીર્થ કહેતા કે હરરોજ હમે એક શાદી હૈ, હરરોજ મુબારક બાદી હૈ." મારે તો રોજ શાદી છે અને રોજ દિવાળી છે. સદા આનંદ જ આનંદ છે. તેથી આનંદ શોધવા જવો જ પડતો નથી. માણસે દૃષ્ટી બદલવાની જરૂર છે. વસ્તૃત્વ કરતાં શ્રોતૃત્વ મહાન કળા છે :
આજે વ્યાખ્યાન એ માત્ર સાંભળવાની જ ચીજ બની ગઈ છે પણ એ સાંભળવાની ચીજ નથી જીવનમાં ઉતારવાની ચીજ છે. જેમ દવા, પાણી, ભોજન એ કાંઈ જોવાની ચીજ નથી, થાળ ભરેલો હોય અને જોયા કરે તો ભૂખ ભાંગે ખરી..? દવાનું લીસ્ટ વાંચ્યા કરીએ તો રોગ જાય ખરો? ના... વ્યાખ્યાનને જીવનમાં ઉતારીએ તો જ જીવન બદલાય. મહાપુરૂષો એક જ દેશનામાં તરી જતા. વતૃત્વ કરતાં શ્રોતૃત્વ મોટી કળા છે. વ્યાખ્યાનો સાંભળીને ઘરડા થવા છતાં પણ સ્વભાવમાં એક રતિભર ફેર પડયો નહિં. અખા કવિએ કહ્યું છે કે તીરથ કરતાં ત્રેપન થયાં, જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટયા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન." અથવા તો "સાંભળ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું." આવી આપણી સ્થિતિ છે. ધર્મ સાથે સંબંધ કેવો ?
જીંદગીમાં ઘણીએ ઓળીઓ કરી, ઘણા ઉપવાસો કર્યા. ઘણાંયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org