________________
છે નિરતિચાર સંયમ જીવનનું પાલન કરે છે. ૧૨ વર્ષ સંયમ પર્યાય થયો. ,
૨૦ વર્ષની યુવાન વય થઈ. એક વાર ક્યાંક બહાર ગયેલા છે ત્યાં યુવાન મિત્રોને ક્રીડા કરતાં જુએ છે. અનાદિકાળના સંસ્કારો આત્મામાં પડેલા છે. ક્રીડા જોતાં જ તેમનું મન ચલાયમાન થયું. સંયમજીવન પાળવું હવે દુષ્કર બનવા લાગ્યું. મન ભોગી તરફ ખેંચાવા લાગ્યું. આત્મા નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત મળે તેવો તે બની જાય છે માટે તો મહાપુરૂષો કહે છે કે હમેશાં શુભભાવોમાં-શુભનિમિત્તોમાં મનને પરોવેલું રાખો. આ મુનિવરનું મન હવે ધર્મધ્યાન છોડીને આર્તધ્યાનમાં ડૂબેલું રહેવા લાગ્યું. સાથે રહેલા મુનિવરને પોતાની ઈચ્છા જણાવી. સહમુનિવરે ઘણી રીતે સમજાવ્યા છતાં મન પડ્યું તે હવે ઉંચે ચડવા માંગતું નથી. છેવટે માતા સાધ્વીજી પાસે ગયા. વેશ છોડવાની અનુમતિ માંગે છે. માતા ઘણી રીતે સમજાવે છે છતાં હવે સંયમજીવનમાં રહેવા તૈયાર થતા નથી. બાળમુનિની દાક્ષિણ્યતા... :-
અંતે માતા સાધ્વીજી કહે છે કે ભાઈ તારી ઈચ્છાથી તુ સંયમજીવનમાં બાર વર્ષ રહ્યો હવે મારી ઈચ્છાથી બાર વર્ષ રહે. ભલે સંયમજીવન પ્રત્યેનો રસ ખૂટી ગયો છે પણ જીવનમાં દાક્ષિણ્યતાનું બીજ પડેલું છે. તેથી એમ વિચારે છે કે મા કહે છે તો મારાથી ના કેમ પડાય ? માની શરમ આડી આવે છે. તમે ક્યારેય તમારા મા-બાપનો વિચાર કરો છો ખરા? આજના મા-બાપની દશા અને વ્યથા જોઈએ છીએ ત્યારે અમારા હૃદય કંપી ઉઠે છે. ઘરમાં કોઈજ વેલ્યુ નહીં. દીકરાનો દીકરોય દાદા-દાદીની સામે બોલતાં ખચકાય નહીં. ઘડીવારમાં ઉતારી પાડે. મા-બાપના નિસાસાથી તો મોટાભાગના ઘરોમાં ક્લેશ-અશાંતિ વ્યાપેલી છે. મા-બાપની દુઆ જ આ
બધા રોગોની મોટામાં મોટી દવા છે. જે ઘરમાં મા-બાપની પૂજા થતી ને હશે તે ઘર સ્વર્ગ જેવું હશે. ત્યાં સદાય શાંતિ વર્તતી હશે. ખુદુગકુમારે જ માની આજ્ઞાથી ૧૨ વર્ષ સંયમ જીવન પાળ્યું. ૧૨ વર્ષ પૂરા થતાં ફરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org