SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ T મળે તો એનું આ જીવન નહીં પણ અનેક જન્મો બગડશે એનો ક્યારેય / વિચાર આવે છે ખરો? મારો દિકરો ભણીને વકીલ બને. ડોક્ટર બને...ઓફિસર બને... એવું ઈચ્છો છો પણ એવી ઈચ્છા ક્યારેય થાય છે કે મારો દીકરો મહાન સાધુ બને અને અનેકને તારનારો બને. હવે આ આઠ વર્ષના બાળકને આપેલા સંસ્કારો બાળકને ક્યાં લઈ જાય છે અને દાક્ષિણ્યતાથી એના જીવનમાં કેવો મોટો ફેરફાર થાય છે તે આગળ જોઈશું. ભાદરવા સુદ-૧૩ સ્વાર્થી સંસાર.... : સંસાર એકલો સ્વાર્થથી જ ભરેલો છે જેની પાછળ જીંદગીની અમૂલ્ય તકો ખર્ચી નાખી તન-મન-ધન બધું જ વેડફી નાખ્યું એ વ્યક્તિ જો છે આપે તો કેવી દશા થાય? ન સહી શકાય, ન કહી શકાય કે ન રહી શકાય આવી દશા છે. છતાં લોકો દલીલ કરે છે કે શું કરીએ સાહેબ સમજીએ છીએ કે સંસાર સ્વાર્થથી જ ભરેલો છે છતાં પણ પનારે પડ્યું નીભાવવું પડે છે એમ કરીને મન વાળે છે. આ સંસાર પર તેને નફરત નથી જાગતી. આ મોહ માણસને ભવમાં રખડાવે છે. જગતના તમામ માણસો જુઓ, બધા પોતાના જ સ્વાર્થની વિચારણા કરતાં હોય છે. જ્યારે સાધુનું જીવન સતત પરમાર્થથી જ ભરેલું છે. કોઈ માખીને કે કોઈ કીડીને પણ ઈજા થવી ન જોઈએ. સમાગમમાં આવનારનું સતત ભલું જ ઈચ્છતા હોય. જગતના જીવોનું સતત ભલું જ ઈચ્છનારા એવા અજિતસેનસૂરિ મહારાજ સાવથી નગરીમાં પધાર્યા છે. માતા સાધ્વીજી સાથે ખુલ્ગકુમાર આચાર્ય ભગવંતને વંદન કરવા આવે છે. બાલ્યવયમાં જ સંયમ ગ્રહણ કરવાની અદમ્ય ઈચ્છાથી ખુદગકુમાર આચાર્ય ભગવંત પાસે પ્રવજ્યાની માંગણી કરે છે. માતા સાધ્વીજીની પણ ઈચ્છા છે કે મારો દિકરો મહાન ને શાસન પ્રભાવક બને. તેથી માતાએ પણ અનુમતિ આપી. આઠ વર્ષની 4 નાની વયમાં જ સંયમજીવનનો સ્વીકાર કરે છે. સુંદર આરાધના પૂર્વક કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy