________________
કર્મનો સિદ્ધાંત
કર્મ તને બંધન નહિ કરે. કારણ કે તું તારું કર્મ કર્તાપણાના અભિમાન સિવાય માત્ર ફરજ તરીકે જ કરે છે. ભગવાન કહે છે :
હત્યાપિ સ ઇમાન્ લોકાન્ નહન્તિ ન નિબધ્યતે
આ તત્ત્વનો જાણકાર અને ‘હું જ કરું છું’ એ પ્રકારના અભિમાનરહિત જીવ ધર્મની મર્યાદામાં રહીને ન્યાય-નીતિથી જે કંઈ કર્મ પોતાની ફરજરૂપે કરે છે તે તમામ કર્મો કરતો હોવા છતાં તેનાથી લેપાતો નથી. ગીતામાં ભગવાન કહે છે કે દૈવ કિંચિત્ કરોમીતિ, યુક્તો મન્યેત તત્ત્વવિત્ ।
૩૧
પશ્યન્ શૃણ્વનું સ્પૃશન્ જીઘ્રન, અનન્ ગચ્છન્ સ્વપન્ શ્વસત્ ॥ પ્રલપન્ વિસૃજનું ગૃહણનુ, ઉન્મેિશનૢ નિમિષનું અપિ । ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ, વર્તન્ત ઇતિ ધારયન્ ॥
(ગીતા ૫૮–૯) જે જીવો અભિમાનવશ થઈને, ‘શકટનો ભાર જ્યમ શ્વાન તાણે' – હું જ બધું કરું છું એવો મિથ્યા પ્રલાપ કરે છે, અને કર્તાપણાના અભિમાનથી કર્મ કરે છે, તે કર્મનાં ફળ તેને કાળે કરીને અનેક દેહ ધારણ કરાવે છે, અને ભોગવાવે છે. આવા અભિમાની જીવો મિથ્યા બકવાસ કરે છે, તે ભગવાન ગીતામાં કહી બતાવે છે :
ઇદમદ્ય મયા લખ્યું ઇમં પ્રાણ્યે મનોરથમ્ । ઇદમસ્તિ ઇદમપિ મે ભવિષ્યતિ પુનર્ધ નમ્ II અસૌ મયા હતઃ શત્રુઃ હનિષ્યે ચાપરાનપિ । ઈશ્વરોડહમ્ અહમ્ ભોગી સિદ્ધોડહં બલવાન્ સુખી ॥ આઢયોઽભિજનવાનસ્મિ કોડન્યોઽસ્તિ સદેશો મયા I યક્ષે દાસ્યામિ મોદિષ્ય, ઇતિ અજ્ઞાન વિમોહિતાઃ || અનેકચિત્ત વિભ્રાન્તાઃ મોહજાલસમાવૃતાઃ । પ્રસક્તાઃ કામભોગેષુ પત્તિ નરકેડશુચૌ ॥
(ગી.૧૬/૧૩-૧૬)
અજ્ઞાનથી મોહિત થયેલા ચિત્તવાળા, મોહજાળમાં ફસાયેલા અને કામભોગોમાં આસક્ત એવા પામર જીવો ઉપર પ્રમાણે મિથ્યાભિમાન કરીને જ કર્મો કરે છે તે સંચિતમાં જમા થાય છે. અને તે અનેક જન્મોનાં ચક્કરમાં જીવને ફસાવે છે.
૨૩. સમષ્ટિના કલ્યાણ માટે કરેલાં કર્મો :
કેટલાંક કર્મી દુનિયાની દૃષ્ટિએ પાપકર્મો ગણાતાં હોવા છતાં તે જગતનાં, સમષ્ટિના કલ્યાણ માટેનાં હોય તો તે પાપકર્મો હોવા છતાં સંચિત કર્મમાં જમા થતાં નથી.
જૂઠ્ઠું બોલવું તે પાપ ગણાય છે અગર તો જૂઠું બોલવાની કોઈને ફરજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org