SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા ૩૧ હાવાને લીધે જૈનના સર્વ સ ́પ્રદાયના ગ્રંથા પણ જેમ જેમ તેમને ઉપલબ્ધ થતા ગયા તેમ તેમ, તેઓ વાંચતા ગયા. તમારૂપે રચાયેલા આ બધા ગ્રંથા તે કાળે મુદ્રિતરૂપમાં નહીં પણ હસ્તલિખિત પ્રતના રૂપમાં ઉપલબ્ધ થતા હતા અને એ બધા તેમણે દેરાસર અને જૈન ભડારામાંથી મેળવીને વાંચ્યા હતા. તેમની જ્ઞાનપિપાસા એટલી તીવ્ર હતી કે તેમના જમાનાનું અલ્પ મુદ્રણ પણ તેમને આડુ નહાતું આવ્યું. પેાતાની સ્વતંત્ર ચિંતન તથા મનનશક્તિને લીધે તેમણે આ બધા ગ્રંથાના રિશીલન દ્વારા મેળવેલુ જ્ઞાન પચાવ્યુ` હતું અને તે પછી તેમણે કેટલાક એવા વિચારા વ્યક્ત કર્યા હતા કે જે આધ્યાત્મિક ક્ષેત્રમાં તેમનુ` ક્રાંતિકારીપણુ સૂચવે છે. તેમના સમયમાં મતાંતરા, ફ્રાંટા, પક્ષા વધતા જંતા હતા. જૈનદર્શનમાં પણ શ્વેતાંબર, દિગ’ભર, સ્થાનકવાસી, તપા, લાંકા આદિ ફાંટાના અનુયાયીએ પેાતાની શ્રેષ્ઠતા અને બીજાની કનિષ્ઠતા બતાવવામાં જ રાકાયેલા રહેતા હતા. પરિણામે તેઓ પેાતાનુ* આત્મકલ્યાણ કરવાનું જ ચૂકી જતા હતા. આવા સમયમાં સને મતાંતરથી દૂર રહીને; માત્ર આત્મકલ્યાણ કરવા પર જ લક્ષ આપવાના સૌમ્યતાથી છતાં દૃઢતાથી ઉપદેશ આપવા એ ક્રાંતિકારી પગલું જ ગણાય અને એ કાયં શ્રીમદ્દે કર્યુ” હતું. જુએ તેમનાં વચના — 66 ફાઈ પણ ધર્મ સંબ‘ધી મતભેદ રાખવા છેાડી દઈ એકાગ્રભાવથી સાગે જે મા સશાધન કરવાના છે, તે એ જ છે. મતભેદ રાખી કાઈ મેાક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યા, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત માક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, ”૮૨ “ કઢાગ્રહમાં કઈ જ હિત નથી. શૂરાતન કરી આગ્રહ કદાચહથી દૂર રહેવુ પણ વિરોધ કરવા નહિ. ”૮૩ આમ શ્રીમદ્ અનેક જગ્યાએ મતાંતરથી દૂર રહેવાના, ભેદષ્ટિ છેડી આત્માના કલ્યાણુ પર જ લક્ષ આપવાના ઉપદેશ આપ્યા છે, જે સત્ય હૈાવા છતાં સમકાલીન સ્થિતિથી વેગળા હતા અને તેને લીધે શ્રીમદ્દને કેટલું વેઠવું પડયું હતું તે સુવિદિત છે. આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં મુનિઓ મેક્ષ મેળવવા માટે જ્ઞાન અગર ક્રિયા એ બેમાંથી કોઈ એક અંગ પર વિશેષ ભાર મૂકતા હતા. સૂત્રો વાંચવાં, તે મુખપાઠે કરવાં કે શાસ્ત્રાર્થ કરવા; અથવા ઉપવાસ, એકટાણાં, આયમિલ આદિ વ્રત કરવાં કે ઉપાશ્રયે અથવા દેરાસરમાં જઈ પૂજા, પ્રતિક્રમણ, સામાયિક આદિ તેના ભાવ સમજ્યા વિના કરવાં તેમાં જ તેમના મેાક્ષમાગ સમાઈ જતા હતા. પરિણામે લેાકેા માં તા શુષ્કજ્ઞાની અને કાં તે ક્રિયાજડ થઈ ગયા હતા. પ્રત્યેક વસ્તુનું ફળ ભાવથી જ છે એ સમજ જ લેાકાને ન હતી; તેઓ બાહ્યને સસ્વ માનતા થઈ ગયા હતા. આથી ધર્મ તેમના અંતર`ગમાં ૮૨. “ શ્રીમાઁ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પત્રાંક ૫૪, પૃ. ૧૮૨. 66 ૮૩. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, “ ઉપદેશછાયા ” પૃ. ૭૧૧. આ પ્રકારનાં અન્ય વતા ઠેકઠેકાણે મળે છે : જુએ “ આત્મસિદ્ધિ '', ગાથા ૧૧૦; “ ઉપદેશછાયા ’' પૃ. ૭૩૦ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy