SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * ~*~~~~~~~~~~~~~~~~~~~****** ਜਦ ਦ ਦ ਹਰ ਹਦ ਹਰ ਹਰ ਜ ਦ ਦ ਹ ਦ ਕ ਹਦ ਹਰ ਹਰ ਜ ਦ ਰ ਰ ਰ પ્રથમ આવૃત્તિનું પ્રાકથન શ્રીમદ્ રાજચંદ્રે પોતાના ટૂંકા જીવનમાં જે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેનેા પરિચય કરવાની મને નાની વયે અભિલાષા જાગી હતી. તેમનાં વચનાનું સામાન્યપડ્યું વાચન કરવાના સસ્સારા તે મારાં પૂ. માતા-પિતા તરફથી મળ્યા હતા, પણ વિશેષપણે રસ લેવાનું બન્યું ન હતું. પણ કાઇક વખતે તે અભિલાષા પૂર્ણ કરવાની ભાવના મારામાં રહ્યા કરતી. પેાતાની નાની વયમાં જ તેમણે ખીલવેલ સ્મરણશક્તિ, કવિત્વશક્તિ, અવધાનશક્તિ, જ્યાતિષજ્ઞાન વગેરે મારા આણતા મુખ્ય વિષય હતાં. એવું તે શું હતું કે બાળવયથી જ આ બધી અસામાન્ય ગણાય તેવી શક્તિ તેમનામાં ખીલી હતી ?- એ મારી જિજ્ઞાસાને મુખ્ય પાયા હતા. ચર ચ પરમકૃપાળુ ભગવાનની કૃપાથી એ જિજ્ઞાસા સ ંતાષવાને સમય પણ આવ્યા. ઈ. સ. ૧૯૬૦માં હું એમ. એ. થઈ, પછી કયારેક પીએચ. ડી. કરવાના વિચાર પણ આવી જતા, પરંતુ કોઈ નક્કર પાયા બંધાયા ન હતા. મારા અધ્યાપક ડૉ. રમણભાઈ શાહ મને પીએચ.ડી. માટે પૂછતા ત્યારે હું ઉત્તર આપતી કે, “રમણભાઈ, તમે પીએચ. ડી. માટે મા દશક નિમાશા ત્યારે તમારી સૌથી પહેલી શિષ્યા હ. થઈશ.” ઈ. સ. ૧૯૬૬માં ડૉ. રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ. ડી. ના માદક નિમાયા. તેમણે એ સમાચાર મને આપ્યા, અને મારા પીએચ. ડી. કરવાને વિચાર ર આકાર પામ્યા. સૌ પ્રથમ “શ્રીમદ્ રાજયંદ્રના જીવન અને સાહિત્ય 'ને વિષય તરીકે પસંદ કરવાને વિચાર આવ્યો, પણ માર્ગદર્શીકા જ અભિપ્રાય પૃથ્વા યોગ્ય માની એ વિચાર મેં મનમાં શમાવ્યા. પણ, આશ્રયની વાત એ જ હતી કે, ડૉ. રમણભાઈએ મને આ પ્રમાણે સૂચવ્યુ, “સરયુબહેન, શ્રીમદ્ રાજચંદ્રમાં તમને રસ છે. મને પણ તેમનેા અભ્યાસ થાય એવી ઇચ્છા છે, તા તે વિષય પસંદ થાય તા સારું, નહિંતર બીજા અનેક વિષયો છે તેમાંથી પસંદ કરી.” આથી મને ખૂબ સતા થયા. “ ભાવતું તું ને વેદે બતાવ્યુ ”, એવા આવકારદાયક જોગાનુજોગ બની વિ આવ્યા; અને એ પ્રમાણે ઈ. સ. ૧૯૬૭ના નવેમ્બરમાં પીએચ.ડી. માટે વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યા. R ર ននននននននននននននននន આરંભમાં તા ખૂબ આનદ આવ્યા. પણ જેમ જેમ અભ્યાસ વધતા ગયા તેમ તેમ સમજાતું ગયું કે હું તા સાવ નાનકડી નાંવ લઈને મહાસમુદ્ર તરવાની હામ ભીડી બેઠી છું! કરવું શું ? મારી મર્યાદાએ અને તેમનું જ્ઞાન સ્પષ્ટ સમજાતાં ગયાં. કારેક તા આ મર્યાદાએથી અકળાઈને ઉપાડેલુ કાર્યાં છેડી દેવાની વૃત્તિ પણ આવી જતી. પરંતુ પરિચિત વ્યક્તિઓના પ્રોત્સાહનથી કાર્ય ધીરે ધીરે આગળ વધતું હતુ. તેમાંથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેના અપણભાવ વધ્યા. તેથી મનામન તેમને જ વિનંતી કરતી કે “હે પ્રભુ, હવે તેા તમે કરેા તે સાચું, ગન વગરનું કાર્ય ઉપાડયુ તા છે, ર છતાં સારુ કાય હોવાથી છેટું પણ કેમ ? માટે એ પૂરું કરવાનું બળ તમે જ આપા.” અને કહેવુ જોઈએ કે, મારી એ વિનંતીના ળરૂપે, મને ચાગ્ય બળ મળતું ગયું. મારે RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRIB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy