SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૬૦ ૧૨. શ્રીમાને કમિક આત્મવિકાસ દિવસને ઘણેખરો ભાગ ગ્રંથવાચન તથા મનનમાં પસાર થતા. અને કેટલોક સમય અંબાલાલભાઈ, સેભાગભાઈ લલ્લુજી મહારાજ આદિ મુનિઓ તથા સુમુક્ષુઓ સાથેના સત્સંગમાં પસાર થતું. તે સમયે તે સર્વને શ્રીમદ્દ તરફથી અપૂર્વ બંધ થતા તેવા ઉલ્લેખ ળે છે. એક વખત શ્રીમદ્દ એકાંતમાં બેસીને કંઈ બોલતા હતા, તેઓ શુ બોલે છે તે જાણવાની જિજ્ઞાસા મુનિ દેવકરણજીને થઈ, કારણ કે તેમને તે વખતે શ્રીમની મુખમુદ્રા તદ્દન કષાયરહિત તથા શાંત દેખાતી હતી. અને મુખ પર પ્રસન્નતાના ભાવે છવાયેલા હતા. તેમણે સાંભળ્યું તે શ્રીમદ્ પિતાને કહી રહ્યા હતા કે – અડતાલીસની સાલમાં રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસે ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત ગદ્ર પરમ સમાધિમાં રહેતા હતા, અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદભુત ગીંદ્ર પરમ શાંત બિરાજે છે.”૮૦ આ વચન શ્રી દેવકરણજીએ લલ્લુજી મહારાજને ઉલ્લાસપૂર્વક લખી જણાવ્યાં હતાં, અને તે પછી શ્રીમદ્દ તરફથી થયેલા બેધથી પિતાને પ્રગટેલે ઉલ્લાસ પણ તેમાં વર્ણવ્યા હતા. આમ સર્વસંગત્યાગની પૂર્વતૈયારીરૂપ કડક સંયમ પાળવાની શરૂઆત શ્રીમદે વિ. સં. ૧૯૫૨માં કરી હતી. તે તેમનું પરમાર્થમાર્ગમાં ભરેલું એક નવું પગલું હતું. આ સમયે તેમની પત્રધારા પણ ઠીક ઠીક વહી હતી એમ દેખાય છે. અને તેમાં પણ જ્ઞાનચર્ચા વિશેષ જોવા મળે છે. સેભાગભાઈએ પુછાવેલા જ્ઞાનપ્રશ્નના ઉત્તરો તેમણે વિગતે આપ્યા હતા. તે વાંચતાં શ્રીમદને વીતરાગમાર્ગમાં પ્રગટેલી અનન્ય શ્રદ્ધાનો આપણને ખ્યાલ આવે છે. આ વર્ષના પત્રમાં અંગત પરિસ્થિતિને ઉલ્લેખ ક્યારેક જ જોવા મળે છે. તેવા એક પત્રમાં તેમણે લખ્યું છે કે – જન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન, અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે..જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયે છે તે કોઈ પણ પ્રકારે તે માર્ગના ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે..હાલ બે વર્ષ સુધી તો તે યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે, અને ૩ થી ૪ વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યાં હેય તે ૩૦ મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકનો વખત આવે..નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્ય કર્મ કરીને તે ઉપશમ જેવી થઈ પણ કઈ કઈ લો કે પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો...ઉપદેશક પુરુષનો જંગ બને તે ઘણું જીવ મૂળમાર્ગ પામે તેવું છે..એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાય કાઈ કરે તે ઘણું સારું, પણ દૃષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતા નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એ ( ૮૦. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૭૬ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy