SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા (6 મારા પાતા માટે તેમ જ કાઈ પ્રસ`ગે તેમના પેપતા માટે જ્યાતિષનાં ફળ, ભૂત અને ભવિષ્યનાં એવાં બતાવ્યાં છે કે હું અજબ થાઉં છું.. ખુદ ઝવેરી રેવાશંકરભાઈ વકીલાત કરતા, અને વેપારમાં પડવા તેમને સ્વપ્ને પણ વૃત્તિ ન હતી. અને તે વખતે સહેજ કરજવાન હતા. તેમની કુંડલી જોઈ તેમને વેપારમાં અત્યંત લાભ છે, બલ્કે લક્ષાધિપતિ થવાના ચાગ છે, એમ જણાવી વકીલાત છેાડી મુંબઈ જવા પ્રેરણા કરી. આજે તેએ વીસ લાખના આસામી ગણાય છે. ’૩૨ શ્રીમદ્દને જ્યાતિષની બાબતમાં ફળાદેશ પૂછનારાઓની સખ્યા વધતી જ ગઈ, અને તેથી તે પ્રવૃત્તિ પેાતાને ઇષ્ટ ૫૨મા માર્ગમાં વિઘ્નરૂપ લાગવા લાગી. આથી અવરોધરૂપ લાગતી એ પ્રવૃત્તિને કલ્પિત ગણી વિ. સ. ૧૯૪૭થી શ્રીમદ્દે ત્યાજ્ય ગણી. ત્યાર પછીથી તેઓ કાઈ પણ વ્યક્તિને એ ખાખતમાં કશેા ઉત્તર આપતા નહિં, અને જેમ બનવાનુ છે તેમ જ બને છે એમ જણાવી પૂછનાર વ્યક્તિના મનનું સમાધાન તેઓ કરતા. જ્યાતિષની બાબતમાં વૈરાગ્ય આવવાનુ` એક બીજું નિમિત્ત પણ શ્રીમને મળ્યું હતું. વિ. સ’. ૧૯૪૫માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વડે શ્રીમદ્ અવધાનના પ્રયાગા કર્યાં હતા. ત્યાં તેમના ાતિષના જ્ઞાનના અનેક વ્યક્તિઓએ લાભ લીધા હતા. તેમાં કેાઈ માંદગીને બિછાને પડેલી વ્યક્તિને અંગે તેમને પૂછવામાં આવ્યું, અને તેનુ અનિષ્ટ જોઈ તેમને બહુ દુઃખ થયું. તે વખતે તે પૂનારને સાચા જવાબ આપ્યા, અને કહ્યું કે, “અમારે શુ આવા દુઃખદ સમાચાર આપવા ?” આવા પ્રસંગાને લીધે તેમની જ્યાતિષ પ્રતિની ઉપેક્ષા વધતી ગઈ હતી. ૫ શ્રીમના પરમાર્થાંસખા અને પરમસ્નેહી શ્રી સેાભાગભાઈની આર્થિક સ્થિતિ વિ. સં. ૧૯૪૭થી ખૂબ સાંકડી હતી. સેાભાગભાઈ ભક્તિમાન, સરળ જીવ હતા. તેઓ આર્થિક મુશ્કેલીથી અકળાઈ ને શ્રીમદ્દને જ્યાતિષ જોઈ પેાતાનું ભાવિ જણાવવા વારંવાર વિનવતા હતા, અને એ બાખતમાં માર્ગદર્શન પણ આપવા કહેતા. પરંતુ શ્રીમદ્દ તેમને દરેક વખતે પૂર્વ ઉપાર્જન કરેલું કર્મ સમભાવે વેદી લેવા તથા જ્યાતિષ સંબધી વિકલ્પ પણ ન કરવા પત્રમાં ઉપદેશતા. શ્રીમદ્નનાં શ્રી સેાભાગભાઈને લખેલાં એવા કેટલાંક વચનેા નીચે આપ્યાં છે, જે પરથી તેમને આવેલા જ્યાતિષ ખાખતના વૈરાગ્ય જોઈ શકાશે. 33 “ આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું. જન્માક્ષર વિશેના ઉત્તર હાલ મળી શકે તેમ નથી. ’૩૩ ફાગણ વ૪ ૩, ૧૯૪૭ના પત્રમાંથી. “ આપે જ્યાતિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહી, કારણ કે તે કલ્પિત છે, અને કૅપિત પર લક્ષ નથી.’૩૪ – ફાગણ વદ ૮, ૧૯૪૭ના પત્રમાંથી. "6 ૩૨. શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ પૃ. ૧૦૦ 33. શ્રીમદ્ રાજચંદ્ર ’અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૭૫. ૩૪. એજન. પૃ. ૨૭૫ Ce Jain Education International "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy