SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. રાજનીશી, નોંધપોથી ઇત્યાદિ re તપાસીએ છીએ તેા જણાય છે કે એ વર્ષના અષાડ માસ સુધીના પત્રા મુ`બઈથી લખાયેલા છે, અને તે પછીના વવાણિયાથી લખાયેલા છે. આમ તેઓ ત્રણ કે ચાર મહિના વવાણિયા રહ્યા હતા તેવુ' અનુમાન થઈ શકે છે. રાજનીશીનુ* ખધુ' લખાણુ ગદ્યમાં છે, અને તે લખાણમાં ખાસ વિસ્તાર પણ જોવા. મળતા નથી. આમ છતાં જે વિષય પરત્વે લખાણ હોય, તે અપૂર્ણ છે કે ટાંચણ જેવુ છે એવી છાપ આપણા પર તે વાંચતાં પડતી નથી. તેને બદલે પેાતાને ઉપયાગી લાગતાં વચના, નિયમ વગેરેનુ' નિરૂપણ થયેલું. આપણને અહી જોવા મળે છે. રાજનીશીનાં પ્રાપ્ત થતાં અઢાર પાનામાં વિવિધ પ્રકારનું લખાણ જેવા મળે છે. માહનીય કર્મની અનિષ્ટતા, સાચુ' સુખ કયુ, પ્રત્યેક અવસ્થામાં જીવતે રહેતા ભય, પેાતાની જાતને મેહથી છૂટવા અપાયેલે બેધ વગેરે વિશેનું લખાણ છે. “ ભગવતીસૂત્ર”ના ત્રીજા શતકના ખીજા ઉદ્દેશમાંથી થોડા અનુવાદ પણ છે. એ ફકરા મહાવીર પ્રભુ, પાતે છદ્મસ્થ અવસ્થામાં હતા વખતે, કઈ રીતે વિચરતા હતા તે વિશે ગૌતમસ્વામીને જણાવેલું, તેને લગતા છે. આ ઉપરાંત લેાકેા સાથે વાતચીત દરમ્યાન કઈ રીતે વર્તવું, તેના પેાતે જાળવવા ધારેલા નિયમે પાષ સુદ ૩, વિ. સં. ૧૯૪૬ ના રાજ વિચારેલા છે. એ જ રીતે પોતે પોતાના ભાગીદારા તથા ધર્મ પત્ની સાથે કઈ રીતે વર્તવુ' તે વિશે પોતે વિચારેલા નિયમા એ જ વર્ષોંના અષાડ સુઢ પાંચમના રોજ રાજનીશીમાં લખેલ છે. તેમાં પોતે દુઃખ સહીને પણ અન્યને શાંતિ આપવાની ભાવના રાખેલી છે. તેમ છતાં પોતે સ્વીકારેલી નિગ્રંથશ્રેણીને સપૂર્ણ પણે જાળવવાની મક્કમતા પણ છે. માત્ર એ એક શ્રેણી સાચવવા ખીજુ બધું જ જતું કરવાની તેમની તૈયારી આ નિયમમાં જોઈ શકાય છે. શ્રીમદ્દે સ્વીકારેલા આ નિયમે બહુ મનનાગ્ય છે. રાજનીશીમાં શ્રીમદ્રે તેમનાં ધર્મપત્નીને ઉદ્દેશીને એક પત્ર લખ્યા છે. તેમાં તેમણે પેાતાનાં પત્નીને ધમૂર્તિ બનાવવાના અનુરાધ કર્યાં છે. સ‘સારના સર્વ ભાવા ત્યાગી માત્ર ધર્મની આરાધના કરવાની તેમની ભાવના આ પત્રમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વીતરાગભક્તિમાં જ પરમ પ્રસન્નતા છે, એમ તેમણે નક્કી કરેલું જણાય છે. આ બધા ઉપરાંત પેાતાની રાજિ’ઢી પ્રવૃત્તિના ઉલ્લેખ પણ આ રાજનીશીમાં જોવા મળે છે. એમાં પણ મુખ્યત્વે કચે! સમય પરમા મા માં વીત્યેા કે કયેા સમય સમાધિયુક્ત ગયા તે વિશેના ઉલ્લેખ મળે છે. પેાતાને આવેલા કોઈ અદ્ભુત સ્વપ્નની નોંધ આમાં શ્રીમદ્ બહુ ટૂંકાણમાં લીધી છે. અને તે સંબંધી વિશેષ પાતે પછીથી લખશે એમ તેમણે તેમાં નાંધ્યુ છે, પણ રાજનીશીમાં એવા કેાઈ સ્વપ્નના ચિતાર આપેલ નથી. સ્વપ્ન વિશે શ્રીમદ્દે જેઠ વદ ૧૨ના રાજ રાજનીશીમાં લખ્યું' છે કે ;~~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy