SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. શ્રીમની તથવચારણા -પત્રોમાં ૪૫૩ આમ શ્રીમદ્ શુદ્ધ, સમર્પણભાવવાળી ભક્તિનું ઘણું માહાત્મ્ય તેમના પત્રામાં ઠેકઠેકાણે વ્યક્ત કરે છે. જ્ઞાનીની આજ્ઞાએ આ ભક્તિ કરવામાં આવે તા જીવનું કલ્યાણ થાય છે, બંધથી મુક્તિ થાય છે, જ્ઞાન થાય છે, અને છેવટે, મેક્ષ પણ થાય છે. પણ એ ભક્તિ માત્ર આત્મજ્ઞાનને અર્થ જ થતી હાવી જોઈએ. નહિતર તેનું પણ સ`સાર અર્થે જ ફળ મળે છે. આથી તા જ્ઞાની પાસે આત્માને મૂકીને સંસારની ઇચ્છા ન કરવાના અનુરાધ શ્રીમદ્દે વારંવાર કર્યા છે. ભક્તિનું આટલું માહાત્મ્ય હાવા છતાં તે ભક્તિના વર્તમાન કાળમાં લાપ થયેલા જોઈ ને શ્રીમદન ઘણા ખેદ થતા હતા. અને તે ખેદ તેમણે કેટલીક વાર વ્યક્ત પણ કર્યા હતા. ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા હાય તેવી સ્થિતિમાં તે માર્ગ પ્રકાશી શકે એવા પુરુષની દુર્લભતા થઈ પડી હાય તે સ્વાભાવિક છે. તે માર્ગ કાણુ પ્રકાશે તે વિશે શ્રીમદ્રે લખ્યું છે કે ઃ— ** • ચાગબળ સહિત, એટલે જેમના ઉપદેશ ઘણા જીવાને થાડા પ્રયાસે મેાક્ષસાધન રૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પુરુષ હાય તે જ્યારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારના ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમા પ્રકાશે છે, પણ તેવા ઉદયયેાગ વિના ઘણું કરી પ્રકાશતા નથી.૬૫ આમ શ્રીમદ્ ભક્તિ, તેનુ સ્વરૂપ, તેનુ માહાત્મ્ય, તેની શ્રેષ્ઠતા, તે માર્ગના પ્રકાશનની યાગ્યતા વગેરે મુદ્દાઓ વિશેની વિચારણા પત્રામાં પ્રગટ કરી છે, જેમાં તેમણે ભક્તિનું અપૂર્વ માહાત્મ્ય અનેક વખત બતાવ્યું છે. તે સાથે કેવી ભક્તિ જોઈ એ, તેની કેવી ખુમારી ચડવી જોઈએ તે ગોપાંગનાઓ વ્યાસ મુનિ, નરસિંહ, કબીર આદિનાં ઉદાહરણા દ્વારા તેમણે પ્રસંગાપાત સમજાવ્યુ` છે. સમ્યગ્દર્શન દ આત્મા જેવા છે તેવા જેને અનુભવાય તને સમ્યગ્દર્શન થયુ કહેવાય. સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર કહેલ છે : આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરાધપણે આસપુરુષની ભક્તિરૂપ એ, એ પ્રથમ સમકિત છે. પરમાની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમતિના ખીજો પ્રકાર છે. નિવિકલ્પ પરમાથ અનુભવ તે સતિના ત્રીજો પ્રકાર છે. ૬૫. શ્રીમદ્ રાજચંદ્ર' આવૃત્તિ પ, ખંડ ૨, ૬. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, "C પૃ. ૩૬૧, Jain Education International જુઓ આંક : ૧૦૫, ૧૩૫, ૧૪૩, ૩૯૭ ૪૩૧, ૪૫૦, ૪૫૯, ૪૯૩, ૧૭૦, ૭૬૯, ૭૭૧ વગેરે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy