SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. પ્રકીર્ણ પદ્યરચનાઓ “ ન‘દિસૂત્ર ”, “ ઠાણાંગસૂત્ર' આદિ ગ્રંથાના નિર્દેશ સાથે શ્રીમદ્દે આ કાવ્યમાં જ્ઞાનમીમાંસા રજૂ કરી છે. આ રચનાની લગભગ ત્રણચાર પક્તિ મળતી નથી, તેથી તેમાં તેટલી અપૂર્ણતા લાગે છે, પણ ભાષા એટલી સરળ છે કે કાવ્ય સમજવામાં કશી મુશ્કેલી રહેતી નથી. કાવ્યના આરંભમાં જ્ઞાન શું નથી તે જણાવ્યું છે અને પછી સાચુ જ્ઞાન કયું તેનું નિરૂપણુ કર્યુ છે. જે આત્માને જાણ્યા વિના નવ પૂ૪૩ જ્ઞાન મેળવ્યુ હોય તે તે પણ અજ્ઞાન છે, એમ આગમને સાક્ષીરૂપે રાખી શ્રીમદ્ આ કાવ્યના આરભમાં જણાવ્યુ છે. આ પૂર્વ કહેવાના હેતુ છે :— “ એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્માંળે.” અર્થાત્ જીવને નિળ કરવાના. જે આત્મા શુદ્ધ ન થાય તે પૂર્વાનું જ્ઞાન નકામું છે. ગ્રંથમાં જ્ઞાન નથી, જ્ઞાન એ વિચાતુરી પણ નથી, મ`ત્ર, તંત્ર આદિ પણ જ્ઞાન નથી, ભાષા એ પણ જ્ઞાન નથી કે બીજા કાઈ સ્થાનને પણ જ્ઞાન કહ્યું નથી, આમ નૈતિ નેતિથી '. સાન ”ને જણાવી શ્રીમદ્ ખીજી કડીમાં કહે છે કે, “ જ્ઞાન જ્ઞાનીમાં કળા ” એટલે કે જ્ઞાન એ કાઈ બાહ્ય જડ પદામાં રહેલું નથી, પણ જ્ઞાનીના અંતરમાં રહેલુ છે, અને એને જ જિનવરે સાચું જ્ઞાન કહ્યું છે. ત્રીજી કડીમાં જ્ઞાન શું છે તે સમજાવતાં, “ભગવતીસૂત્ર”ના આધાર લઈને શ્રીમદ્રે જણાવ્યું છે કે : — • “આ જીવ ને આ દેહ એવા, ભેદ જો ભાસ્યા નહી', પચખાણ કીધાં ત્યાં સુધી, મેાક્ષા તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળા, જિનવર કહે છે જ્ઞાન તેને સવ ભવ્યા સાંભળે.” જીવ અને દેહ અર્થાત્ જડ અને ચેતન વચ્ચેના જે સ્પષ્ટ ભેદ જણાયા ન હેાય તે વ્રત, નિયમ આદિનાં પચખાણ લીધાં હાય તા તે બધાં મેાક્ષ મેળવવામાં મદદરૂપ નથી થતાં, માત્ર તે પુણ્ય ઉપાર્જન કરે છે. આવા નિર્મળ ઉપદેશ પાંચમા અ`ગમાં – “ભગવતી. સૂત્ર”માં – કરવામાં આવ્યા તે હું કહું છું. હું સવ ભવ્યે ! જિનવર કાને જ્ઞાન કહે છે તે તમે અહી' સાંભળેા. અહી શ્રીમદ્ જણાવ્યુ' છે તે પ્રમાણે જડ-ચેતન-વિવેક ઊÀ! હાય તા જ તાકિ મૈાક્ષમાર્ગના સાધનરૂપ થાય છે. એટલે જડ-ચેતન-વિવેક થવા – ભેદજ્ઞાન થવુ -તે જ સાચુ· જ્ઞાન છે, તેમ જિનવાણી કહે છે. પંચમહાવ્રતનું પાલન ખાદ્યથી કરવામાં આવે પૂર્ણ રૂપે જેનાથી શુદ્ધતા થાય તે સાચું જ્ઞાન છે એમ Jain Education International તેા તે જ્ઞાન નથી, પણ આત્માની ચાથી કડીમાં શ્રીમદ્દે ખતાવ્યુ છે. ૪૩. શ્રી તી કર ભગવાને પોતાને થયેલા જ્ઞાનને જે પ્રમાણે વર્ણવ્યું હતું. તે પ્રમાણે ગણધરાએ શાસ્ત્રમાં ઉતાર્યું હતું, તેના થયેલા ૧૪ વિભાગ ૧૪ પૂર્વ કહેવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy