SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. મફીણ પદ્યરચનાઓ અને અત્યાર સુધીમાં પાત જે કંઈ જણાવ્યુ. છે તે કલ્પનારૂપ કે ભૂલભરેલું નથી તેમ નિશ્ચયપૂર્વક શ્રીમદ્ અંતમાં જણાવે છે. આમ અહી. આત્મા પામવાના માર્ગ બતાવવાની સાથે શ્રીમદ્ જીવની વમાન સ્થિતિ પણ પ્રત્યક્ષ કરાવી છે. જૈનધમ પર, તેના તાત્ત્વિક અર્થમાં, શ્રીમને કેટલી શ્રદ્ધા હતી તેને ખ્યાલ આપણને આ દોહરાઓમાં આવી શકે છે, તે તેની વિશેષતા છે. હાથનેાંધમાં મળતા આ કાવ્યના રચનાસમય નિણી ત કરી શકાતા નથી. આ પ્રમાણે આપણને શ્રીમની ૪ હિંી રચનાઓ પ્રાપ્ત થાય છે. જેમાં ત્રણ તત્ત્વ વિચારણાને લગતી છે અને એક અંગત ઉલ્લાસને વ્યક્ત કરતી છે. ચારમાંથી ત્રણ રચનાઓ દોહરામાં છે અને “ યનિયમ ” તાટકમાં છે. આ ચારે રચનાએ શ્રીમદ્નુ હિંી ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે. અગત સ્થિતિસૂચક રચનાઓ શ્રીમદ્દે પાતાને થયેલા આધ્યાત્મિક અનુભવાને અનુલક્ષીને કેટલાંક કાવ્યા રચ્યાં છે. તેમને થયેલાં જાતિસ્મરણજ્ઞાન, સમ્યજ્ઞાન. આદિના નિર્દેશ કરતી ચાર રચનાએ હાલમાં ઉપલબ્ધ છે. તેમાંની એક “ મારગ સાચા મિલ ગયા ” હિંદીમાં હાવાને લીધે તેને તે વિભાગમાં સ્થાન આપ્યુ છે. આ ઉપરાંત “ લઘુવયથી અદ્ભુત થયેા તત્ત્વજ્ઞાનના બાધ”, 66 ધન્ય રે દિવસ આ અહે ” તથા “ આજ મને ઉછરંગ અનુપમ ” એ ત્રણ રચનાએ મળે છે. “ લઘુવયથી અદ્ભુત થયેા તત્ત્વજ્ઞાનના એધ”૧૬ પાતાની અંગત વાતો જણાવતુ, રરમે વર્ષે લખાયેલું, શ્રીમનું આ લઘુ કાવ્ય છે. શરૂઆતમાં અધ્યાત્મના સાચા રાહ બતાવતા એક દોહરા પછી બાકીના પાંચ દોહરામાં પેાતાને થયેલા જાતિસ્મરણજ્ઞાનના નિર્દેશ તથા પૂર્વજન્મ અને પુનર્જન્મની ખાતરી કરાવતાં વચનાના નિર્દેશ છે. આમ માત્ર દસ જ ૫ક્તિમાં દોહરામાં રચાયેલું આ એમનુ અંગત સ્થિતિસૂચક કાવ્ય છે. આરંભમાં અધ્યાત્મના સાચા રાહ બતાવતા સુદર દાહરી આ પ્રમાણે છે “ સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા; જનની તે ઉદાસીનતા. ” અધ્યાત્મની પહેલા દાહરા પછીના દોહરાએ બાળવયમાં જ તત્ત્વજ્ઞાનના આધ થાય << Jain Education International ૩૮૯ તે પૂર્વજન્મ અને પુનર્જન્મની શ્રદ્ધા કરાવનારા છે. એ જ સૂચવે છે, જુએ લઘુવયથી અદ્દભુત થયેા, ' તત્ત્વજ્ઞાનના ખેાધ; એ જ સૂચવે એમ કે ગતિ આતિ કાં શોધ ?” ૧૬, “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯૫, આંક ૭૭. k For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy