SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમની છાનસિદ્ધિ અંતરંગ શત્રુઓને જીતનાર જિન તે આત્મા છે, અને આત્મા સિવાયનાં સર્વ કર્મ છે, જેનાથી તે કર્મને નાશ થાય છે તે જિનનાં વચનો છે એમ તત્ત્વજ્ઞાનીઓએ રહસ્ય બતાવ્યું છે. આ દોહરામાં “જિન” સાંપ્રદાયિક અર્થમાં નહિ, પણ તેના સાચા અર્થમાં પ્રયોજાયેલ છે. અને આ જિનનાં વચને આત્માને કર્મથી મુક્ત કરાવવામાં સૌથી બળવાન ઉપકારી સાધન છે, તે અહીં વિશદતાથી દર્શાવ્યું છે. અને આખા જૈનદર્શનના સારરૂપ ચેથે દાહરે ર છે કે – “જબ જાન્યો નિજરૂપકે, તબ જા સબ લેક; નહિ જાજે નિજરૂપકે, સબ જાન્યો સે ફેક.” જેણે પિતાનું સ્વરૂપ જાણ્યું, તેણે સર્વ જાણ્યું અને જેણે પિતાનું સ્વરૂપ જાણ્યું નહિ તેણે સવ જાણેલું નકામું છે, કારણ કે તેનાથી આત્મા કર્મમુક્ત થતા નથી. પિતાનું સ્વરૂપ જાણવું એટલે આત્માને જાણવો, અને જ્ઞાન થાય ત્યારે વધુમાં વધુ ૧૫ ભવે જીવની મુક્તિ થઈ જાય છે. તે તે જ્ઞાન વિના નવ પૂર્વનું જ્ઞાન પણ જીવને કર્મથી મુક્ત કરવા સમર્થ નથી. પોતાના સ્વરૂપને જાણવાને આ મહિમા હોવાથી તેનું ગૌરવ શ્રીમદે આ દેહરામાં કર્યું છે. આમાં “આચારાંગ-સૂત્ર”ની નીચેની ગાથાને અર્થ જોઈ શકાશે – 'जे अंग जाणई से सब जाणई । કે સર્વે જ્ઞાન મેન' કાગ !.” ૧૪ જેણે આત્માને જાયે તેણે સર્વ જાણ્યું, અને જેણે સર્વ જાણ્યું તે આત્માને જાણ એ “આચારાંગ સૂત્રગ્ના વચનની છાયા ઉપરના દેહરામાં જોઈ શકાશે. હસ્તધની મૂળ પ્રતમાં આ દોહરાની બીજી પંક્તિનું પહેલું ચરણ છે અને બીજુ ચરણ નથી. તે ચરણ “હાત ન્યૂનસે ન્યૂનતા..” એ પ્રમાણે છે. પણ પાછળથી શ્રીમદ્દે કોઈ ભાઈને ઉપર આપ્યું છે તે પ્રમાણે ચરણ લખાવ્યું હતું. અને ત્યારથી તે ચરણ પ્રસિદ્ધિમાં આવ્યું છે.૧૫ પિતાનું સ્વરૂપ ન જાણવાનું કારણ જીવની દિશામૂઢતા અને જિન પ્રતિના અભાવ છે. અનાદિકાળથી અવળે રસ્તે ચાલતે જીવ દિશામૂઢ થઈ ગયા હોવાથી તેને જિનપ્રભુમાં ઉલ્લાસ આવતો નથી. અને તે ભાવ વિના જીવની મુક્તિ નથી તે પાંચમા દેહરામાં જણાવી, છઠ્ઠા દોહરામાં શ્રીમદ્દ કહે છે કે વ્યવહારનયથી જિન ભગવાન એ સદૈવ છે, અને નિશ્ચયનયથી આત્મા પોતે જ સલ્લેવ છે. જિનેશ્વરપ્રણીત ધર્મનો અચિંત્ય મહિમા આ વચનથી સમજવા યોગ્ય છે, તેમ શ્રીમદ જણાવે છે, જુઓ – “વ્યવહારસે દેવ જિન, નિહસે છે આપ; એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ.” ૧૪. “આચારાંગ-સૂત્ર”, અધ્ય. ૧, ઉ. ૩, ગાથા ૪. ૧૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૪, પૃ. ૧૯૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy