SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. અપૂર્વ અવસર એટલે કે માત્ર મનારથના સામ્રાજ્ય જેવુ લાગે છે. તેનુ કારણ એ છે કે આ કાવ્ય લખ્યું ત્યારે શ્રીમદ ગૃહસ્થદશામાં હતા. અને આ પદ પામવા માટે તા આગળની કડીઓમાં વર્ણવ્યા છે તેવા ભગીરથ પુરુષાથ કરવા અનિવાય છે, તે તેઓ જાણતા હતા. તેમની તે વખતની પરિસ્થિતિ અનુસાર તેઓ એવા પુરુષાથ ઉપાડી શકે તેમ નહાતા, તેથી જ તેમણે પેાતાના મનાથને “ ગજા વગર ”તુ' ગણાવેલ છે. તેમ છતાં મનના મારરૂપ લાગતું એ પદ પ્રભુ આજ્ઞાએ ” પ્રાપ્ત થવાનું છે તેવા નિશ્ચય તેમને પ્રવર્તે છે તે તેમણે છેલ્લી બે પક્તિએમાં બતાવ્યું છે. પ્રમુ-આજ્ઞાથી એટલે જિનશ્વર ભગવાન પ્રણીત કરેલા માર્ગે ચાલવાથી પાત સિદ્ધસ્વરૂપ થવાના છે તેવા પેાતાના નિશ્ચય તેમણે અહીં દર્શાવ્યા છે. 66 66 “ અપૂર્વ અવસર ” એ શ્રીમની અંગત સ્થિતિ વ્યક્ત કરતું કાવ્ય છે તે આપણે પ્રસંગાપાત્ત જોયુ છે. આમ હાવાના આપણને પ્રથમ નિર્દેશ આ કાવ્યની ત્રીજી કડીમાં ઃ ઊપજ્યા ” શબ્દમાં મળે છે. તે પછી ૧૩મી કડીમાં “ આવું ત્યાં...” પરથી મળ્યા. તે પછી ૧૪મી કડીમાં “ પ્રગટાવુ નિજ ... ” એ ૫ક્તિમાં મળ્યા. આ બધા ઉપરાંત તે વિશેના સૌથી સ્પષ્ટ નિર્દેશ આપણને આ છેલ્લી કડીમાં મળે છે. અહી તા તેમણે પાતાનુ નામ સ્પષ્ટ રીતે ગૂંથીને પોતે આદર્શરૂપ માનેલા પદને પામવાના નિશ્ચય જણાવ્યા છે. જુએ — “ તા પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો, ’’ અપૂર્વ એ જ રીતે આ કડીની પહેલી એ પ`ક્તિએ પણ આ કાવ્ય અંગત હાવાની સાક્ષી પૂરે છે “ એહ પરમપદ પ્રાપ્તિનું કયું ધ્યાન મે', વગર ન હાલ મનાથ ૩૫ જા. અપૂ ,, ગજા ૩૭૩ Jain Education International અહી’ મે ’” તેમણે પાતાના જ માટે વાપરેલું છે તે કોઈ પણ વ્યક્તિ સમજી શકે એવું છે. આ કાવ્ય વિશે શ્રી રમણલાલ જે. જોષી લખે ઇં કે :~ “ આશ્રમ ભજનાવલિમાંનું એમનું પ્રસિદ્ધ કાવ્ય અપૂર્વ અવસર જોતાં જણાય છે કે જૈન ધર્મ પ્રમાણે ચારથી તેર ગુણસ્થાનક છે, અને તેમણે સ'ક્ષેપમાં પણ સચાટ રીતે કાવ્યસ્વરૂપે મૂકી આપ્યાં છે. પ્રસ્તુત કાવ્યની કેટલીક લીટીના ભાવા ઉપનિષદના કેટલાક મંત્રા સાથે મેળમાં બેસે છે. ઉદાહરણ તરીકે “ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં ” વાળી ટૂંક મુણ્ડકાપનિષદના કેટલાક મંત્ર સાથે સરખાવવા જેવી છે. લગભગ બધા ધર્મોને માન્ય એવી દેહભાવ વર્જીને આત્મભાવમાં અપ્રમત્ત સ્થિતિ કરવાની વાત એમણે અનેક જગ્યાએ ભારપૂર્વક કહી છે, પણ જ્યારે તે “એહ પરમપદપ્રાપ્તિનુ* કર્યું. ધ્યાન મેં ” એમ કહું છે ત્યારે એમનું લક્ષ “ નિર્વિકલ્પ સમાધિ ” અથવા તો ગીતા જેને “ બ્રાહ્ની સ્થિતિ ” કહે છે તે હોય એમ લાગે છે. એ વખતે એમને આ વસ્તુ ગજા વગરના મનારથ હાય તેમ જણાય છે, પણ આ વસ્તુ બનવાની જ છે, એમના પાતા વિશેની આ શકયતાનું સંપૂર્ણ દર્શન અવશ્ય થયું છે, એ વાત ભક્તહૃદયી જ્ઞાની કહી દે છે - For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy