SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ આ પરથી સમજાશે કે શ્રીમદ્દે સત્ય જ કહ્યું છે કેઃ– 66 68 પદ શ્રી સને ઢીં જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જો;” અપૂર્વ જે પદનું પૂરેપૂરું વર્ણન શ્રી ભગવાન પણ નથી કરી શકયા તે પદનું પૂરુ વર્ણીન અન્ય છદ્મસ્થની વાણી તા કથાંથી જ કરી શકે ? એ પ્રશ્ન શ્રીમદ્દે પેાતાની વાણીની મર્યાદા બતાવવા ખૂબ જ યાગ્યતાથી ત્રીજી પક્તિમાં મૂકથો છે. શ્રી પ્રભુન તથા પાતાને વાણીની એ મર્યાદા નડવાનું કારણ શ્રીમદ્ ચેાથી પક્તિમાં બતાવે છે કે, “ અનુભવગાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” સિદ્ધપદનાં સુખનું જ્ઞાન તે વાણીથી પર છે તે જ્ઞાન તે અનુભવ થાય ત્યારે જ પામી શકાય. આ જ્ઞાન અનુભવગમ્ય હાવાનું કારણ અતાવતાં શ્રી નગીનદાસ શેડ લખે છે કે “જેને સમ્યક઼દન વડે અનુભવ થયેા છે તેણે અંશે સ્વાનુભવથી આખું દ્રવ્ય પ્રમાણ જાણ્યુ છે. હું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છું, ચૈતન્યસ્વરૂપ છું એવા વિકલ્પમાત્રથી આત્મસ્વરૂપના આનંદ અનુભવી શકાય નહિ. પણ રાગરહિત જ્ઞાનમાં એકાગ્રતાથી સમ્યક્ત્તાની પરાક્ષ તેમ જ પ્રત્યક્ષ પ્રમાણથી જાણે છે. તેથી આત્મસ્વરૂપ માત્ર અનુભવગાચર જ છે. ’૯૫ શ્રીમદની જીવનસંદ્ધ મુક્તિપુરીના સુખને શ્રીમદ્રે અહી વર્ણનાતીત બતાવ્યું છે. “ આચારાંગસૂત્ર”માં પણ તે સુખને કલ્પનાતીત ગણાવાયુ છે, તે નીચેની ગાથા જોતાં જણાશે. “ વે સા નિમકૃતિ, તા જ્ઞત્ય ને વિનતિ, મતી તથળ નાહિતા, બોએ અતિદાસ લેયને ।'૯૬ આ સૂત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે મુક્તિના સુખમાં રહેનારા જીવાની જે અવસ્થા વતે છે તે જણાવવા કોઈ પણ શબ્દ સમ થતા નથી, કોઈ પણ કલ્પના દોડી શકતી નથી, અને કોઈની મતિ પહેાંચી શકતી નથી. ત્યાં સકલકરહિત એકલા જીવ સપૂર્ણ જ્ઞાનમય બિરાજે છે. “ આચારાંગસૂત્ર”ની આ પ્રકારની ગાથાઓના અભ્યાસથી આત્મસ્વરૂપના જ્ઞાનની વાત CC અનુભવગાચર ” વિશેષપણે તેમને જણાઈ હતી. આમ ૨૦મી કડીમાં સિદ્ધ જીવાના સુખના વર્ણનની બાબતમાં પાતાની મર્યાદા જાહેર કર્યા પછી શ્રીમદ્ ૨૧મી કડીમાં આ આખું પદ રચવાના ઉદ્દેશ રજૂ કરે છે કે :— એહ પરમપદ પ્રાપ્તિનું કયું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મારથ રૂપ જે; Jain Education International તાપણુ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. ” અપૂર્વ૦ ૨૧ જે પરમપદ છે, કલ્પનાતીત છે, તે પદ્મ પ્રાપ્ત કરવાનુ શ્રીમદ્દે ધ્યેય આંધ્યુ છે, તેમ તેઓ પહેલી પક્તિમાં જણાવે છે. પાતાની હાલની સ્થિતિ જોતાં તે તેમને તે ગજા બહારનું કાર્ય, ૯૫. “ પરમપદ-પ્રાપ્તિની ભાવના ', પૃ. ૨૩૬. ૯૬. “ આચારાંગસૂત્ર”, અવ્યુ પ, ઉ. ૬, સ. ૯, પૃ. ૫૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy