SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. આત્મસિદ્ધિશાસ્ર બીજી રીતે જોતાં પણ આત્મસિદ્ધિ ”માં ક્યે દર્શનના સાર છે તેમ કહી શકાય. યે દશનાએ આત્મા વિશે જે જાતના અભિપ્રાય ઉચ્ચાર્યાં છે તે સર્વને સમાવેશ તેના નામનિર્દેશ વિના આત્મસિદ્ધિ”માં થયેલા જોઈ શકાશે.૭૭ આ ચાર્વાકદર્શન આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ, મેક્ષ આદિને ન સ્વીકારે તેવુ' એક જ દર્શન છે, જે ચાર્વાકને નામે ઓળખાય છે. ચાર્વાકમતવાદીએ જગતમાં જેટલુ દેખાય છે તેટલું જ સાચું છે તેમ માને છે. આ મતની લીલા શ્રીમદ્દે પ્રથમ પની શંકા વખતે શિષ્યના મુખમાં મૂકી છે. શિષ્ય “ આત્મા નથી ” એવા પેાતાના વિચાર રજૂ કરતી વખતે, તેના સમન માટે જે લીલા કરે છે તે દલીલે ચાર્વાક મતની છે. તે બતાવવા માટે શ્રીમદ્ ભાષા તા પેાતાની જ વાપરી છે. 66 આ મતનું ખંડન કરી શ્રીમદ્ અન્ય પાંચે માસ્તિક દનાને માન્ય એવું આત્મા હાવા વિશેનું પ્રમાણ આપે છે. તે સ દર્શનાએ કરેલી આત્માના અસ્તિત્વને દર્શાવતી દલીલેાનું સંકલન તથા અનુભવેનું સંકલન ગુરુએ આપેલા ઉત્તરમાં શ્રીમદ્રે રજૂ કર્યું છે. બૌદ્ધ દઈન ચાર્વાક સિવાયનાં બધાં દના આત્માના અસ્તિત્વ આદિને સ્વીકારે છે, પણ તેમની માન્યતામાં થાડા થોડા ભેદ જોવા મળે છે. તેના નિત્યત્વ, કર્તૃત્વ, ભાકતૃત્વ આદિ વિશે ભેદ જોવા મળે છે. તે ભેદ જ્યાં જ્યાં છે તેના ઉલ્લેખ “ આત્મસિદ્ધિ ”માં થયેલે છે, અને જ્યાં એકમત છે, તે સમાધાનરૂપે આપેલ છે. જૈન સિવાય વેદાશ્રિત ન હોય તેવુ બૌદ્ધ દર્શન છે. તેઓ આત્માને સ્વીકારે છે, અને આત્માને ક્ષણિક ગણાવે છે. તેમને અભિપ્રાયે જગત્કર્તા તરીકે ઈશ્વર અભિપ્રેત નથી, આત્માને જ કર્તા ગણાવે છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે આત્મા વિજ્ઞાન માત્ર છે, અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે આત્મા દુઃખાદિ તત્ત્વ છે. એટલે કે બૌદ્ધના અભિપ્રાયે આત્મા અનિત્ય અને પરિણામી – પરિણામ કરવાવાળો છે. ૩૯ ૩૦૫ ૭૭. પેાતાના કથનને પુષ્ટ કરતી બૌદ્ધ દનની દલીલેાના સમાવેશ પણ “ આત્મસિદ્ધિ ”માં થાય છે. ખીજી શંકા રજૂ કરતી વખતે, એટલે કે આત્માનુ નિત્યત્વ નિષેધતી વખતે, શિષ્ય “ આત્મસિદ્ધિ ”માં જૈન, બૌદ્ધ, સાંખ્યયોગ, નૈયાયિક-ત્યાય—વૈશેષિક, મીમાંસા-પૂર્વ અને ઉત્તર, અને ચાર્વાક એ છયે દર્શન આવી જાય છે તેમ શ્રીમદ્ કહ્યું છે. તેમના આ વિધાનને પ્રખર રીતે તપાસવા માટે તા સ દર્શીતા આમૂલ અભ્યાસ જોઈએ. અહી શકચ તેટલી સ્પષ્ટતા કરવા “ શ્રીમદ્ રાજચંદ્ર ” પ્રંથમાંના આંક ૭૧૧ તથા ૭૧૩, શ્રીમની ઉસ્તનેાંધ, “ અધ્યાત્મસાર ”, “ સ્યાદ્દાદ્દમંજરી ”, શ્રી મનસુખભાઈ રવજીભાઈએ લખેલા “ આત્મસિદ્ધિ 'તે ઉપેાાત વગેરેના આશ્રય લીધા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy