SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદની જીવનસિદ્ધિ ખાવાપીવાની, સૂવા બેસવાની, બધી વિદેહી દશા હતી. છતાં હાડ ગરીબ હતું. તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહિ, એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.” સાત વર્ષની વયે શ્રીમદે અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. તેમની સમજણશક્તિ અને સ્મરણશક્તિ એ વયે પણ એટલી તીવ્ર હતી કે તેમણે બે વર્ષના સમયમાં ગુજરાતી સાતે ચોપડીને અભ્યાસ પૂર્ણ કર્યો હતો, એટલું જ નહિ, જે વ્યક્તિ પાસેથી તેમણે શિક્ષણ લેવાની શરૂઆત કરી હતી, તે વ્યક્તિને અભ્યાસ પૂરો કર્યા પછી તે ચોપડીને બંધ કર્યો હતો. તેમનું વાચન પણ વિશાળ હતું. જે પુસ્તક હાથમાં આવે તે તેઓ ઝડપથી વાંચી જતા, અને તેને બોધ સ્મૃતિમાં ગ્રહી લેતા. તેમની આવી અદ્દભુત સ્મૃતિ માટે અન્ય વ્યક્તિઓ તેમના તરફ ખૂબ માનની નજરે જોતી. પોતાની શક્તિ વિશે તેમણે લખેલી “સમુચ્ચયવયચર્યા”માં લખ્યું છે કે – સાત વર્ષથી અગ્યાર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હતું. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે, પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું, છતાં ખ્યાતિને હેતુ ન હતા, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતું. વાતડાહ્ય, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક જે વેળા વંચાવે તે જ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જ. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ-સરળ વાત્સલ્યતા- મારામાં બહુ હતી. સર્વથી એકત્વ ઇચ્છ, સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડયું હતું. લોકમાં કઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જેતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાત કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, તે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યો હતો કે જે માણસે મને પ્રથમ પુરતકને બેથ દેવો શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણુ ઠીક પામીને તે જ ચોપડીને પાછો બોધ મેં કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથ મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના બોધગ્રં–નાના-આડાઅવળા–મેં જોયા હતા, જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસજાતને– બહુ વિશ્વાસુ હત; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.”૫ શ્રીમદ્ પિતાની સ્મરણશક્તિને લીધે ઘણી વરાથી અભ્યાસ પૂરો કરી શક્યા હતા. વળી, હોશિયાર હોવાને કારણે, તેઓ અન્ય વિદ્યાર્થીઓનું વર્ગકામ લેતા, અને એ રીતે વર્ગશિક્ષકનું કાર્ય પણ કરતા. પરંતુ તેમનામાં સ્વાભાવિક રીતે રહેલા નિખાલસતા, ૪. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૦૩. ૫. એજન, પૃ. ૨૦૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy