SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. માસમાળા વિયેાગ છે, જે ક્ષણભંગુર છે, અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સૌંપૂર્ણ નથી. ૫૯ આ પ્રમાણે સાંસારિક સુખ મેળવવા જતાં કેટલાં કપટ સેવવાં પડે છે, હિંસા કરવી પડે છે, આરભાપાધિ વહેારવી પડે છે વગેરે વિશે ખ્યાલ આપી ધનાઢથ સાચા સુખ વિશે નિણૅય લેવાનું બ્રાહ્મણ પર જ છેડે છે. બ્રાહ્મણ ધનાઢય સાથે સ`મત થાય છે, અને તેની પાસે રહેવાનું સ્વીકારે છે. તે પછી ધનાઢચ સુખ વિશેના વિચારો રજૂ કરે છે, તે ખૂબ સમજવા ચેાગ્ય છે: २४ “ જેએ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લાભ અને માયામાં મૂઝાઈ પડયા છે, તે બહુ દુઃખી છે. તેને તે પૂરા ઉપયાગ કે અધૂરો ઉપયેાગ કરી શકતા નથી. માત્ર ઉપાધિ જ ભાગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધાતિ પામી તે જીવ અનંત સસાર વધારે છે. મળેલા મનુષ્યદેહ એ નિમૂલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે. 66 જેણે પેાતાની ઉપવિકા જેટલાં સાધનમાત્ર અપાર’ભથી રાખ્યાં છે, શુદ્ધ એક પત્નીવ્રત, સ`તેાષ, પરમાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અ૫રાગ, અલ્પદ્રવ્ય, માયા અને સત્ય તેમજ શાસ્રધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાના મનારથ રાખ્યા છે, બહુ પ્રકારે કરીને સ`સારથી ત્યાગી જેવા છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે, તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિમન કરે છે. ૧૯૫ “ સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેએ રહિત થયા છે; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેએ અપ્રતિમ ધપણે વિચરે છે, શત્રુમિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે, અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમના કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રિય અને જિતકષાય તે નિગ્રથા પરમ સુખી છે. “સ ઘનઘાતી કર્મોના ક્ષય જેમણે કર્યો છે, ચાર ક પાતળાં જેનાં પડયાં છે, જે મુક્ત છે, જે અન‘તજ્ઞાની, અનંતદશી છે તે તે સંપૂર્ણ સુખી છે. માક્ષમાં અનત જીવનના અનંત સુખમાં સ–ક વિરક્તતાથી વિરાજે છે, ”૬૦ તે આ પ્રમાણે અહી' જીવના ચાર પ્રકાર ગણાવ્યા છે. તેમાં ઉત્તરોત્તર ચડતી દશા જણાવી છે. કેવળજ્ઞાનીની સૌથી ઊ`ચી કક્ષા છે. તે માટે સકના ક્ષય થયે હવે જોઈએ. અને તે મેળવવા માટેની ભૂમિકાએ એક પછી એક અહી સ સરળતાથી સમજાવી છે. શ્રીમદ્દે “ અપૂર્વ અવસર માં સેવેલી ભાવનાનું ખીજ આપણને એમનાં ઉપરનાં વચનામાં જોવા મળે છે. ૫૯. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૦૫. ૬. એજત, પૃ. ૧૦૬. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy