SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા ૧૧ 8 મોરબીમાં તેમને કહ્યું કે તમે “ઢેઢકમત” દીપા, તે વખતે સત્યના આરહી શ્રીમદે તત્કાલ જવાબ આપે કે, “સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે.”૧૮૦ ર૩. કાંટાની ઉપેક્ષા – વિ. સં. ૧૯૩૪માં શ્રીમદ્દ દશ વર્ષના હતા ત્યારે તેમનાં દાદી ગુજરી ગયાં હતાં. તે વખતે તેઓ રિવાજ મુજબ દાણી – અશિ- લઈને અડવાણે પગે સ્મશાનમાં ગયા હતા. જતી વખતે પગમાં મેટો કાંટા વાગે. છતાં કોઈને પણ કંઈ જણાવ્યું નહિ અને સ્મશાન સુધી ગયા, અગ્નિદાહ દીધે, અને બધાની સાથે મૃતદેહ બળે ત્યાં સુધી બેઠા. પછી તળાવે જઈ સ્નાન કરી, બધાની સાથે ચાલતા ઘેર પહોંચ્યા, ત્યાં સુધી પગને કાંટે વેદના આપતો જ રહ્યો ! ઘેર આવ્યા ત્યારે તેમનાં માતુશ્રીએ ખમચાતા ખમચાતા ચાલવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે જતી વખતે કાંટે વાગ્યાની વાત કહી. એટલે દેવમાએ કાંટે કાઢી આપ્યું. આમ લાંબો સમય તેમણે કાંટાની વેદના સમભાવથી સહી હતી.૧૮૧ ૨૪. નિષ્કારણ કણ – શ્રીમદ્દ એક વખત મોરબીથી વવાણિયા જતા હતા. તેમને સ્ટેશને મૂકવા માટે શ્રી મનસુખભાઈ મહેતા આદિ કેટલાક મુમુક્ષુઓ ગયા હતા. ગાડી આવવાનો સમય હતો તેથી બધા ધર્મ ચર્ચા કરતા હતા. તે અરસામાં મનસુખભાઈને કઈ લાવવા આવતાં ઘેર જવું પડયું. તેથી ગાડી આવતાં સુધી સત્સંગનો લાભ જવા બદલ તેમને મનમાં ને મનમાં ખૂબ ખેદ થયે. તે ખેદ પ્રગટ ન કરતાં મનસુખભાઈ ઘેર ગયા. પણ એ ખેદ શ્રીમદ્દ પામી ગયા અને પછીથી ગાડી આવી ગઈ હોવા છતાં તેઓ વવાણિયા ન જતાં બધા સાથે મેરબી પાછા ફર્યા અને બીજે દિવસે મનસુખભાઈને સત્સંગને લાભ આપ્યો. જ્ઞાનીની નિષ્કારણ કરુણ તે આ.૧૮૨ ૨૫. સાચુ જોખમ – એક વખત રાતના અગિયાર વાગ્યે ધર્મવાર્તા પૂરી થઈ ત્યારે શ્રીમદ્દ પેઢી પરથી ઘેર જવા ઊભા થયા. બીજા બધા પણ સાથે જવા નીકળતા હતા. તેવામાં પૂનાના નાનચંદભાઈએ હીરા, માણેક, મોતી વગેરે વેપારને માલ જેમાં રહેતું હતું તે પેટી ખુલ્લી જોઈ, તેથી તે પ્રતિ શ્રીમદનું લક્ષ્ય દોરી કહ્યું, “આ પેટીમાં તે જખમ છે, અને ખુલી રહી ગઈ છે.” બધાને ફરીથી બેસાડી શ્રીમદ્ નાનચંદભાઈને પૂછયું, “જોખમ શી રીતે ?” તેમણે ઉત્તર આપ્યો, “સાહેબજી, હું કીમતી ચીજોને જોખમની ઉપમા આપું છું. તે ચેરાઈ જાય તે જોખમ લાગે.” શ્રીમદે કહ્યું, “એને જ્ઞાની પણ જોખમ ગણે છે, પણ જુદી રીતે. જ્યાં સુધી તે પાસે હોય ત્યાં સુધી તે જોખમ છે. માણસને રોગ થાય તે પરુ, પાક વગેરે થાય, તેમ એ પણ પૃથ્વીના રોગ છે. જ્ઞાની કદી તેમાં મોહ ન રાખે.” આમ જણાવી શ્રીમદ્દ પેટી તથા દીવાનખાનું ખુલ્લાં મૂકી પોતાને ઘેર ચાલ્યા ગયા. બીજા પણ તેમને સ્થાનકે ગયા. તેમની સાથે હતા તેમાંના પદમશીભાઈને પછીથી “શું થયું ૧૮૦. “શ્રીમદ્ રાજચંદ્ર : અધ શતાબ્દી સ્મારકગ્રંથ”, પૃ. ૧૦૩. ૧૮૧. એજન, પૃ. ૯૮. ૧૮૨. “શ્રીમદ્ રામચંદ્રની જીવનરેખા”, પૃ. ૨૨. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy